Budget 2021 : વિપક્ષની રાષ્ટ્રપતિના ભાષણનો બહિષ્કાર કરવાની જાહેરાત
Budget 2021 : સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઇ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદ પહોંચ્યા છે. તેમણે કહ્યું કે આજે આ પ્રથમ સત્રની શરૂઆત થઈ રહી છે.
Budget 2021 : સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઇ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદ પહોંચ્યા છે. તેમણે કહ્યું કે આજે આ પ્રથમ સત્રની શરૂઆત થઈ રહી છે. સ્વતંત્રતા સેનાનીઓના સપનાને ઝડપી ગતિએ પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. આ દાયકાની મજબૂત તૈયારી માટે તમામ પ્રકારની ચર્ચા થવી જોઈએ. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે આર્થિક સર્વે રજૂ કરશે. લોકસભા સચિવાલય અનુસાર બજેટ સત્રનું પહેલું સત્ર 15 ફેબ્રુઆરી સુધી ચાલશે.
19 વિપક્ષી પાર્ટી રાષ્ટ્રપતિના ભાષણનો બહિષ્કાર કરશે પરંપરા મુજબ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સંબોધન પ્રથમ દિવસે થાય છે. આ વખતે 19 પક્ષોએ રાષ્ટ્રપતિનું ભાષણ ના બહિષ્કારની જાહેરાત કરી છે. જેમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના, અકાલી દળ જેવા મોટા પક્ષોનો સમાવેશ થાય છે. તેમનું કહેવું છે કે ગત સત્રમાં કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિ કાયદાઓને પસાર કર્યું જે સારી બાબત નથી
રાષ્ટ્રપતિના સંબોધનનો બહિષ્કાર કરનાર પક્ષોમાં કોંગ્રેસ, શિવસેના, સમાજવાદી પાર્ટી, એનસીપી, જેકેએનસી, ડીએમકે, ટીએમસી, આરજેડી, સીપીઆઇ-એમ, સીપીઆઇ, આઈયુએમએલ, આરએસપી, પીડીપી, એમડીએમકે, કેરળ કોંગ્રેસ (M), બીએસપી અને એઆઇયુડીએફ શામેલ છે. આ પક્ષોએ સંયુક્ત નિવેદન જારી કરીને આ અંગે માહિતી આપી હતી. બાદમાં આમ આદમી પાર્ટી અને શિરોમણી અકાલી દળે પણ બહિષ્કારની જાહેરાત કરી હતી. કોંગ્રેસ, શિવસેના સહિત 18 પક્ષો રાષ્ટ્રપતિના ભાષણનો બહિષ્કાર કરી સંસદમાં કૃષિ કાયદા પસાર કરવાની રીત સામે વાંધો ઉઠાવશે.
ખેડુતોનો મુદ્દો ગરમાશે ત્રણ કૃષિ કાયદા અને ખેડૂત આંદોલન દરમિયાન 26 જાન્યુઆરીએ દિલ્હીમાં હિંસાનો મુદ્દો બજેટ સત્રમાં ઉઠાવવામાં આવે તેવી સંભાવના છે. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદનું કહેવું છે કે મોદી સરકારે વિપક્ષ સાથે દલીલ કર્યા વિના ગૃહમાં ત્રણેય કૃષિ કાયદા બળજબરીથી પસાર કર્યા.