Virafin: રાતોરાત બની વિરાફિન કોરોનાનાં દર્દીઓ માટે જીંદગી, જાણો કેમ છે કોરોના વિરૂદ્ધ આ દવા આશાનું કિરણ
Virafin: ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ કોરોનાની સારવાર માટે ઝાયડસ કેડિલાની ડ્રગ વિરાફિનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. વિરોફિન આશાની નવી કિરણ સાબિત થઈ શકે છે કારણ કે કોરોના રોગચાળો સતત વધતો જાય છે.
Virafin: દેશ કોરોના રોગચાળાની બીજી લહેરથી પ્રભાવિત છે. રેમેડિસીવર, ફાબી ફ્લૂ જેવી દવાઓની અછત છે અને તબીબી ઓક્સિજનની માગ પણ અનેકગણી વધી છે. જરૂરિયાતમંદોને સમયસર દવાઓ અને ઓક્સિજન ન મળવાના કારણે ઘણા દર્દીઓ મોતને ભેટતા હોય છે. આવી સ્થિતિમાં શુક્રવારે એક ખૂબ જ રાહતના સમાચાર આવ્યા. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ કોરોનાની સારવાર માટે ઝાયડસ કેડિલાની ડ્રગ વિરાફિનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. વિરોફિન આશાની નવી કિરણ સાબિત થઈ શકે છે કારણ કે કોરોના રોગચાળો સતત વધતો જાય છે. ચાલો આપણે સમજીએ કે વિરાફિન શું છે અને તે ભારત માટે આશા શા માટે વધારી રહ્યું છે.
વિરાફિન દવા છે શું?