Bhakti : લીમડાના વૃક્ષની પૂજાનો પણ છે મહિમા, જળ સિંચન માત્રથી પૂર્ણ થશે મનોકામના !

ઘરનું (Home) કોઈ સભ્ય બીમારીમાં રહેતું હોય, દવા કરાવવા છતાં કોઇ સારું પરિણામ ન આવતું હોય, ત્યારે લીમડાના ઝાડમાં નિત્ય જળ અર્પણ કરવું જોઈએ. તેને ધૂપબત્તી કરવી જોઇએ. કહે છે કે તેનાથી ટૂંક સમયમાં જ શુભ પરિણામની પ્રાપ્તિ થાય છે.

Bhakti : લીમડાના વૃક્ષની પૂજાનો પણ છે મહિમા, જળ સિંચન માત્રથી પૂર્ણ થશે મનોકામના !
Neem Tree
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: May 29, 2022 | 7:22 AM

હિંદુ (Hindu) સંસ્કૃતિમાં મૂર્તિ પૂજાની જ નહીં, પ્રકૃતિ પૂજાની પણ મહત્તા વર્ણવાઈ છે. જેમાં વૃક્ષોનો (Trees) પણ સમાવેશ થાય છે. કેટલાંક વિશેષ અવસરો પર વડની પૂજા અને પીપળા પૂજનની (Pipala Pujan) પરંપરા રહેલી છે. તો, તુલસીજીનો છોડ તો લગભગ દરેક હિંદુ પરિવારના ઘરોમાં જોવા મળે જ છે. પરંતુ, આજે અમારે એક એવાં વૃક્ષની વાત કરવી છે કે જે આયુર્વેદની (Aayurved) દૃષ્ટિએ તો મહત્વ ધરાવે જ છે. પણ, તેના આધ્યાત્મિક લાભ અંગે લોકો ઓછા માહિતગાર છે. અને આ વૃક્ષ એટલે લીમડો.

સારી નોકરી માટે, ઝડપથી ધનવાન બનવા માટે, જલ્દી વિવાહ કરવા માટે, મિલ્કત વધારવા માટે, સારી તંદુરસ્તી માટે તેમજ જીવન સાથે જોડાયેલી દરેક પ્રકારની સમસ્યાનું નિવારણ લાવવા વિવિધ વૃક્ષોમાં જળના સિંચનનો અને તેના પૂજનનો મહિમા છે. કહે છે કે તેનાથી કુંડળીમાં રહેલ ખરાબ ગ્રહો પણ શુભ ફળ પ્રદાન કરવા લાગે છે. અને એટલે જ કદાચ આપણે ત્યાં વૃક્ષોને દેવી-દેવતાઓ સમાન પદ આપવામાં આવ્યું છે. ત્યારે આવો જાણીએ કે લીમડાનું વૃક્ષ કરી આપની વિવિધ સમસ્યાઓનું સમાધાન લાવી શકે છે.

બીમારીથી મુક્તિ !

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ઘરનું કોઈ સભ્ય બીમારીમાં રહેતું હોય, દવા કરાવવા છતાં કોઇ સારું પરિણામ ન આવતું હોય, ત્યારે લીમડાના ઝાડમાં નિત્ય જળ અર્પણ કરવું જોઈએ. તેને ધૂપબત્તી કરવી જોઇએ. કહે છે કે તેનાથી ટૂંક સમયમાં જ શુભ પરિણામની પ્રાપ્તિ થાય છે.

ત્વચાના રોગ નહીં !

માન્યતા અનુસાર જે મહિલાઓ સાતમની તિથિએ લીમડાના ઝાડની પૂજા કરે છે તેમના ઘરમાં કોઇપણ પ્રકારની ત્વચા સંબંધિત સમસ્યા પ્રવેશતી નથી. જો કોઇપણ ત્વચા સંબંધિત સમસ્યા સર્જાય તો સરળતાથી દૂર પણ થઇ જાય છે.

સૌભાગ્ય અને સંતતિનું સુખ

માન્યતા અનુસાર જે મહિલાઓ લીમડાના ઝાડ નીચે સાતમની તિથિએ જળ, દીવો, ધૂપબત્તી કરે છે તે અખંડ સૌભાગ્યવતી રહે છે. આ મહિલાના બાળકો સૂર્ય ચંદ્રમાની જેમ પ્રગતિ કરે છે. સમાજમાં નામના મેળવે છે તેમજ તેમનો વિકાસ થાય છે. આ મહિલાઓ હંમેશા ‘શ્રીમતી’ જ રહે છે. શ્રીમતી એટલે તેમની પર હંમેશા માતા લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનના આશીર્વાદ રહે છે.

પતિનું દુર્ઘાયુષ્ય

કહે છે કે મહિલાઓ જો સાતમની સુદ અને વદની તિથિએ લીમડાના ઝાડની નીચે જળ, દીવો, ધૂપ, ગોળ અર્પણ કરે છે તો તેમના પતિ દીર્ઘાયુ બને છે. તેમજ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">