Sankashti Chaturthi: આજે આ રીતે કરો ગણેશજીની પૂજા, ગણેશજી નિર્વિઘ્ને પૂર્ણ કરશે અભિલાષા

સંકષ્ટી ચતુર્થીનું વ્રત એ તમામ સંકટોને દૂર કરવાવાળુ છે. કહે છે કે આ દિવસે જો વિધિ અનુસાર ગણેશજીની પૂજા કરવામાં આવે તેમજ નિયમ અનુસાર જો ચંદ્ર દર્શન કરવામાં આવે તો ચોક્કસથી વિઘ્નહર્તા પ્રસન્ન થાય છે. તેમજ ભક્તના સઘળા મનોરથોને સિદ્ધ કરી દે છે.

Sankashti Chaturthi: આજે આ રીતે કરો ગણેશજીની પૂજા, ગણેશજી નિર્વિઘ્ને પૂર્ણ કરશે અભિલાષા
Lord Ganesh (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jan 21, 2022 | 8:59 AM

સંકષ્ટી ચતુર્થીનું (sankashti chaturthi) વ્રત એ ગજાનન ગણેશની પરમ કૃપાની પ્રાપ્તિ કરાવનારું છે. આજે તારીખ 21 જાન્યુઆરી, શુક્રવારના રોજ ભક્તોને આ જ વ્રતનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. કહે છે કે આજના દિવસે વિધિ વિધાન સાથે કરેલી ગણેશ પૂજા વ્યક્તિનું ભાગ્ય બદલી દે છે. તેના જીવનના તમામ કષ્ટ અને અવરોધોને દૂર કરી દે છે અને તેની કામનાઓને પણ પરિપૂર્ણ કરી દે છે. સંકષ્ટીની ગણેશ પૂજા અત્યંત ફળદાયી મનાય છે. ત્યારે આવો આજે તે વિશે જ વિગતે માહિતી મેળવીએ.

સંકટ ચતુર્થી સાથે જોડાયેલી માન્યતા

દરેક મહિનાના વદ પક્ષની ચતુર્થી તિથિ એ સંકટ ચતુર્થી કે સંકષ્ટી ચતુર્થી તરીકે ઓળખાય છે. ગણપતિના ભક્તો આ દિવસે વ્રત રાખતા હોય છે અને ચંદ્ર દર્શન બાદ જ ઉપવાસ પૂર્ણ કરીને ભોજન ગ્રહણ કરે છે. આજના દિવસે વ્રત કરનાર ભક્ત દિવસ દરમ્યાન માત્ર ફળ ગ્રહણ કરી શકે છે. એવી પણ માન્યતા છે કે સંકટ ચતુર્થી જીવનના તમામ સંકટ દૂર કરવાવાળી છે.

વ્રતની સંપૂર્ણ વિધિ

⦁ સૌપ્રથમ સંકટ ચતુર્થીના દિવસે નિત્ય ક્રિયામાંથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

⦁ પૂજા માટે ભગવાન ગણેશની પ્રતિમાને ઇશાન ખૂણામાં એક બાજોઠ પર સ્થાપિત કરો.

⦁ બાજોઠ પર પીળા રંગનું વસ્ત્ર પાથરો.

⦁ ભગવાન સામે હાથ જોડીને પૂજા અને વ્રત કરવાનો સંકલ્પ લો.

⦁ ત્યારબાદ જળ, અક્ષત, દૂર્વા, પુષ્પ, લાડુ, પાન, ધૂપ આદિ વિનાયકને અર્પણ કરો.

⦁ અક્ષત અને પુષ્પ લઇને ગણેશજીને અર્પણ કરો અને તે જ સમયે તમારી મનોકામના પણ અભિવ્યક્ત કરો.

⦁ ત્યારબાદ એક થાળીમાં કેળનું પાન ગોઠવો. આ પાન પર કંકુ વડે એક ત્રિકોણ બનાવો.

⦁ ત્રિકોણના અગ્ર ભાગ પર ઘીનો દિપક મૂકો. તેની સાથે મસૂરની દાળ અને 7 સૂકા લાલ મરચા મૂકો.

⦁ સંકષ્ટીએ વિઘ્નહર્તાને બુંદીના લાડુ કે ચુરમા લાડુનો ભોગ જરૂરથી લગાવો.

⦁ ત્યારબાદ “ૐ ગં ગણપતયે નમઃ” મંત્રનો 108 વખત જાપ કરો.

માન્યતા અનુસાર આ પ્રકારના સંકષ્ટી પૂજનથી એકદંતા ચોક્કસથી પ્રસન્ન થાય છે. અને ભક્તના જીવનના સંકટોનો નાશ કરી દે છે. તો આ વ્રતમાં ચંદ્ર દર્શનનો પણ સવિશેષ મહિમા છે.

ચંદ્રદર્શન

સમય- રાત્રેે 9.25 કલાકે

ઉલ્લેખનીય છે કે સંકષ્ટી ચતુર્થીનું વ્રત એ ચંદ્રમાના દર્શન બાદ જ પૂર્ણ મનાય છે. એટલે કે ચંદ્ર દર્શન બાદ જ આપ ઉપવાસ છોડીને અન્ન ગ્રહણ કરી શકો છો. ત્યારે ચંદ્ર દર્શન સમયે ચંદ્રમાને પણ અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. સવિશેષ કૃપા અર્થે દૂધમાં મધ, ચંદન અને કંકુ મિશ્રિત કરીને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. તેમજ તેમને પણ લાડુનો ભોગ લગાવીને પછી તેને પ્રસાદ રૂપે ગ્રહણ કરવો જોઈએ.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : પૂજા સમયે મંદિરમાં શા માટે વગાડવામાં આવે છે ઘંટ ? જાણો તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

આ પણ વાંચો : ગણેશજીના 12 નામનું સ્મરણ દૂર કરશે જીવનના તમામ વિધ્નો

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">