પાપમોચની એકાદશીએ આ વિધિ સાથે કરો વ્રત, સમસ્ત પાપકર્મનો થઈ જશે નાશ!

આ વખતે પાપમોચની એકાદશી એ સર્વાર્થ સિદ્ધિ યોગ સાથે આવી છે. આ યોગ દરેક કાર્યોમાં સફળતાની પ્રાપ્તિ કરાવનાર છે. એટલે કે જો વિશેષ પૂજાવિધિ સાથે આ વ્રત કરવામાં આવે તો સાધકને સઘળા પાપકર્મથી મુક્તિની પ્રાપ્તિ થઈ જાય છે.

પાપમોચની એકાદશીએ આ વિધિ સાથે કરો વ્રત, સમસ્ત પાપકર્મનો થઈ જશે નાશ!
Lord Vishnu (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Mar 27, 2022 | 6:38 AM

પાપમોચની એકાદશીનું (Papmochani Ekadashi) વ્રત એ સમસ્ત એકાદશીમાં (Ekadashi) વિશેષ માનવામાં આવે છે. કારણ કે આ વ્રત કરવાથી જાતકને જાણે અજાણે કરેલા પાપમાંથી મુક્તિ મળે છે. ભગવાન વિષ્ણુની કૃપાથી વ્યક્તિ મૃત્યુ બાદ પુનઃ જીવન મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ વખતે આ એકાદશી 28 માર્ચ, સોમવારના રોજ છે. ખાસ વાત એ છે કે આ વર્ષે પાપમોચની એકાદશી એ સર્વાર્થ સિદ્ધિ યોગ સાથે આવી છે. આ યોગ દરેક કાર્યોમાં સફળતાની પ્રાપ્તિ કરાવનાર છે. ત્યારે ચાલો જાણીએ કે આ વખતે કઈ પૂજાવિધિ સાથે વ્રત કરવાથી સાધકને સઘળા પાપકર્મથી મુક્તિની પ્રાપ્તિ થશે અને સાથે જ સમસ્ત સિદ્ધિઓની પ્રાપ્તિ થશે.

પાપમોચની એકાદશી

⦁ 28 માર્ચ, સોમવાર, સવારે 6.16 કલાકે સર્વાર્થ સિદ્ધિ યોગનો પ્રારંભ થશે. વ્રતના સંકલ્પ માટે આ સમય ઉત્તમ મનાય છે. અલબત્, વ્રત કરનારે 27 માર્ચ, રવિવાર સાંજથી જ વ્રતના નિયમોનું પાલન શરૂ કરી દેવું જોઈએ અને માત્ર સાત્વિક આહાર જ ભોજનમાં ગ્રહણ કરવો જોઈએ.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

વ્રત અને પૂજા વિધિ

⦁ પાપમોચની એકદાશીએ પ્રાતઃ સ્નાન કરીને પીળા વસ્ત્ર ધારણ કરવા.

⦁ સર્વ પ્રથમ પૂજા સ્થાનની સાફ સફાઈ કરી લેવી. ત્યારબાદ એક બાજઠ પર પીળુ વસ્ત્ર પાથરી ભગવાન વિષ્ણુની મૂર્તિ કે તસવીરની સ્થાપના કરવી.

⦁ હાથમાં જળ, ચોખા અને પુષ્પ લઈને પાપમોચની એકાદશી માટેના વ્રતની પૂજા વિધિનો સંકલ્પ કરો.

⦁ પ્રાતઃકાળમાં જ શુભ યોગ બનતો હોઈ, જો તમે સવારે જ પૂજા કરશો તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે.

⦁ ભગવાન વિષ્ણુને પીળા પુષ્પ, પીળા વસ્ત્ર, કેળા, પીળી મીઠાઈ, શિખંડ, પંચામૃત, તુલસીદળ, અક્ષત, ધૂપ, દીપ, ગંધ, ફળ, માળા વગેરે અર્પણ કરો.

⦁ આ દરમ્યાન “ૐ નમો ભગવતે વાસુદેવાય” મંત્રનું ઉચ્ચારણ કરતા રહો.

⦁ આ મંત્રનો જાપ સમસ્ત દુઃખ, કષ્ટ અને પાપને દૂર કરીને પુણ્ય પ્રદાન કરવાવાળો છે.

⦁ આ દિવસે શ્રીવિષ્ણુ ચાલીસા, વિષ્ણુ સહસ્ત્રનામ, પાપમોચની એકાદશી વ્રત કથાનો પાઠ કરો. ત્યારબાદ શુદ્ધ ઘી નો દિવો કરીને કે કપૂર પ્રજ્વલિત કરીને ભગવાન વિષ્ણુની આરતી કરો.

⦁ પૂજા સમાપન બાદ પ્રસાદ વિતરણ કરો અને સ્વયં પણ ફળ પ્રસાદ કે પંચામૃત પ્રસાદ ગ્રહણ કરો.

⦁ આ દિવસે કોઇ બ્રાહ્મણને વસ્ત્ર, અન્ન, ફળ, મીઠાઈનું દાન કરો.

⦁ વ્રતના દિવસે ફળાહાર કરો અને રાત્રે જાગરણ કરીને ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરો. યાદ રાખો, એકાદશીએ દિવસ દરમ્યાન સૂવું જોઈએ નહીં.

⦁ વ્રત કરનારે સઘળા નિયમોનું પાલન કરવું.

⦁ દ્વાદશીના દિવસે સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરો અને સૂર્યોદય પછી પારણાં કરીને વ્રતને પૂર્ણ કરો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ વિશ્વમાં બીજે ક્યાંય નથી થતાં હનુમાનજીના આવાં અદભુત રૂપના દર્શન, જાણો અકરામુખીનું રહસ્ય !

આ પણ વાંચોઃ જાણી લો, વિવિધ કામનાઓની પૂર્તિ અર્થે હનુમાનજીના કયા સ્વરૂપની કરવી જોઈએ પૂજા ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">