Vinayaka Chaturthi 2021 : મંગળવારે છે વિનાયક ચતુર્થી, આ શુભ મુહૂર્તમાં પૂજા કરવાથી થશે પરેશાનીઓ દૂર
હિન્દુ પંચાંગ મુજબ દર મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ પર વિનાયક ચતુર્થી ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. આવો જાણીએ વિનાયક ચતુર્થીના મહત્વ અંગે
હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશની પૂજાનું આગવું મહત્વ છે. મંગળવારે વિનાયક ચતુર્થી( Vinayaka Chaturthi )છે. વિનાયક ચતુર્થી દર મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ પર ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. હિંદુ (Hindu) ધર્મમાં ભગવાન ગણેશની પૂજા સૌથી પહેલાં કરવામાં આવે છે. દરેક પૂજાની શરૂઆત પહેલાં વિઘ્નહર્તાની પૂજા કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે વિઘ્નહર્તાની પૂજા કરવાથી બધા દુ:ખ દૂર થાય છે. એટલું જ નહીં જ્યાં ભગવાન ગણેશનો વાસ છે ત્યાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
ભગવાન ગણેશના ભક્તો માટે વિનાયક ચતુર્થીનો દિવસ ખૂબ મહત્વનો છે. ઘણા લોકો આ દિવસે પૂજા અને ઉપવાસ કરે છે. નિયમો અનુસાર આ દિવસે પૂજા કરવાથી તમારા બધા દુ: ખ દૂર થાય છે. આવો જાણીએ વિનાયક ચતુર્થીથી સંબંધિત મહત્વની બાબતો વિશે
શુભ સમય
હિન્દુ પંચાંગ મુજબ, ચતુર્થી તિથિ 13 જુલાઇને સવારે 08.24 વાગ્યાથી શરૂ થશે. સિદ્ધિ યોગ બપોરે 2:49 વાગ્યે પ્રારંભ થશે. એવું માનવામાં આવે છે કે આ યોગમાં પૂજા કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ સાથે તમારા સારા કામ પણ થવા માંડે છે. ચંદ્રદયનો સમય સવારના 07:52 વાગ્યે રહેશે અને ચંદ્રગતિનો સમય રાત્રે 09:21 વાગ્યે હશે.
વિનાયક ચતુર્થીની પૂજા પદ્ધતિ
વિનાયક ચતુર્થીના દિવસે સવારે ઉઠીને સ્નાન કર્યા પછી લાલ અને પીળા કપડા પહેરો. આ બંને રંગો શુભ છે.તેની બાદ પૂજા સ્થળને સાફ કરો અને ગંગાજળનો છંટકાવ કરો. ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરી દીવો પ્રગટાવો. તેના પછી લાલ રંગના કમકુમ, અક્ષત, ફૂલો વગેરે અર્પણ કરો. ગણેશજીને મોદકનો પ્રસાદ ચઢાવો. તેના પછી ગણેશ ચાલીસાનો પાઠ કરો અને ત્યારબાદ આરતી કરો.
વિનાયક ચતુર્થીનું મહત્વ
ભગવાન ગણેશની બળ,બુધ્ધિ અને સમૃદ્ધિના દેવ તરીકે પૂજા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસે પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાન ગણેશની પૂજા કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે. આની સાથે રિદ્ધિ અને સિદ્ધિ આવે છે. વિઘ્નહર્તા તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે છે.
આ પણ વાંચો : LORD SHIVA : જાણો શા માટે સોમવારે જ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે, શું છે આ પાછળનું કારણ
આ પણ વાંચો : Dwarka: માત્ર દોઢ ઇંચ વરસાદે ખોલી તંત્રની પોલ, ઠેરઠેર વરસાદી પાણીનો ભરાવો