AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu for self Confidence: આત્મવિશ્વાસ વધારવો છે? તો વાસ્તુ ટિપ્સ અનુસરો

Vastu tips for life: જો તમે તમારો આત્મવિશ્વાસ વધારવા માટે વાસ્તુ ઉપાયો શોધી રહ્યા છો તો અમે તમને આમાં થોડી મદદ કરીએ છીએ. તે વાસ્તુ ઉપાયો વિશે જાણો જે આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરી શકે છે.

Vastu for self Confidence: આત્મવિશ્વાસ વધારવો છે? તો વાસ્તુ ટિપ્સ અનુસરો
Vastu-tips-for-self-confidence
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2022 | 6:19 PM
Share

સફળતા હાંસલ કરવા માટે આપણે બધા ક્યાંકને ક્યાંક સખત મહેનત કરવામાં વ્યસ્ત રહીએ છીએ. ઘણી વખત લોકોને મહેનત કરવા છતાં જીવનમાં સુખ (Happiness in life) મળતુ નથી. આત્મવિશ્વાસના અભાવનો અમુક બાબતોનો સામનો કરી રહ્યા છો તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આત્મવિશ્વાસ (Self confidence)નો અભાવ કામમાં અવરોધો પેદા કરી શકે છે, કારણ કે તેના અભાવથી પીડિત વ્યક્તિ કોઈપણ કાર્ય યોગ્ય રીતે કરી શકતો નથી. ઘણા લોકો તેમના આત્મવિશ્વાસના અભાવને દૂર કરવામાં અથવા વધારવામાં લાંબો સમય લે છે, પરંતુ સમયનો આ બગાડ તેમને સ્પર્ધામાં અન્ય કરતા ઘણા પાછળ મૂકી દે છે.

આ માટે તમે કાઉન્સેલિંગ લઈ શકો છો, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જે ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. આ ઉપાયો અપનાવીને તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકો છો. જો તમે પણ આવા વાસ્તુ ઉપાયો શોધી રહ્યા છો તો અમે તમને આમાં થોડી મદદ કરીએ છીએ. તે વાસ્તુ ઉપાયો વિશે જાણો, જે આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરી શકે છે.

લિવિંગ રૂમમાં કરો આ ફેરફારો

ઘરની કોઈપણ ખાલી દિવાલની સામે બેસીને આત્મવિશ્વાસ ડગમગી શકે છે. અમે બેઠક માટે વધુ ઉપયોગ કરીએ છીએ અને તેથી તમારે અહીં થોડો ફેરફાર કરવો પડશે. આત્મવિશ્વાસના અભાવને દૂર કરવા માટે લિવિંગ રૂમમાં દોડતા ઘોડાની તસવીર લગાવો. ઘોડાને મહેનતનું પ્રતીક માનવામાં આવે છે. લિવિંગ રૂમમાં ઘોડાની આ તસવીર લગાવવાથી ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે. ચિત્ર મૂકતી વખતે ધ્યાનમાં રાખો કે ચિત્રમાં ઘોડો દોડી રહ્યો છે.

સૂર્યદેવની પૂજા

જો તમારે આત્મવિશ્વાસ વધારવો હોય તો સૂર્યદેવના શરણમાં જાવ. ઉગતો સૂર્ય સફળતા અને મહેનતનો સંકેત આપે છે. એટલા માટે લોકો સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. જો કે તમે સૂર્ય ભગવાનની પૂજા-અર્ચના કરીને તેમના આશીર્વાદ મેળવી શકો છો, પરંતુ ઘરમાં ઉગતા સૂર્યનું ચિત્ર રાખવું પણ શુભ છે. આ તસવીર જોઈને તમારામાં આત્મવિશ્વાસ વધી શકે છે. ધ્યાન રાખો કે ભોજન કરતી વખતે તમારું મુખ પૂર્વ તરફ હોવું જોઈએ.

માછલી એક્યુરિયમ

મોટાભાગના કિસ્સાઓમાં લોકો દેખાડો કરવા માટે લિવિંગ રૂમમાં અથવા ઘરના અન્ય ભાગોમાં ફિશ એક્યુરિયમ રાખે છે, પરંતુ તેને રાખવાથી આત્મવિશ્વાસના અભાવને દૂર કરી શકાય છે. વાસ્તુ અનુસાર ફિશ એક્યુરિયમ ઘરમાં રહેલી નકારાત્મકતાને દૂર કરવાનું કામ કરે છે. તેમાં ઓછામાં ઓછી બે ગોલ્ડફિશ રાખો અને તેને નિયમિતપણે ખવડાવો.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
g clip-path="url(#clip0_868_265)">