Uttarakhand: લો બોલો ! ચોરી કરવાથી જ આ મંદિરમાં મનોકામના પૂરી થાય છે, વાંચો રસપ્રદ વિગતો

Uttarakhand : ભારત દેશમાં માતાજીના ઘણા મંદિર છે, આ બધા મંદિરનું અલગ-અલગ મહત્વ છે. દેશમાં એક એકથી ચમત્કારી મંદિર છે જેની વાસ્તુકલાથી લઈને સ્વર્ણિમ ઇતિહાસથી આપણે અચરજ પામી જઈએ છીએ

Uttarakhand: લો બોલો ! ચોરી કરવાથી જ આ મંદિરમાં મનોકામના પૂરી થાય છે, વાંચો રસપ્રદ વિગતો
ચૂડામણિ દેવી મંદિર
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: May 22, 2021 | 3:26 PM

Uttarakhand : ભારત દેશમાં માતાજીના ઘણા મંદિર છે, આ બધા મંદિરનું અલગ-અલગ મહત્વ છે. દેશમાં એક એકથી ચમત્કારી મંદિર છે જેની વાસ્તુકલાથી લઈને સ્વર્ણિમ ઇતિહાસથી આપણે અચરજ પામી જઈએ છીએ. ઉત્તરાખંડમાં (Uttarakhand) ઘણા ચમત્કારિક અને સિદ્ધપીઠ મંદિરો છે, પરંતુ એક એવું અનોખું મંદિર છે જ્યાં ચોરી કરવાથી જ મનોકામના પૂર્ણ થાય છે. ચાલો જાણીએ મંદિરથી સંબંધિત રોચક માહિતી વિષે.

આજે અમે તમને એવા જ એક મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે દેવભૂમિ ઉત્તરાખંડમાં (Uttarakhand) આવેલું છે.  ઉત્તરાખંડના ચૂડિયાલા ગામમાં સિદ્ધપીઠ ચૂડામણિ દેવીના મંદિર (Chudamani devi mandir) વિશે વાત કરી રહ્યા છીએ. જણાવી દઈએ કે આ ધાર્મિક સ્થળે ભક્તોએ તેમની ઇચ્છા પૂરી કરવા માટે ચોરી કરવી પડે છે. હા, તમને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ તે સાચું છે.

આ મંદિરને લઈને માન્યતા છે કે, જે દંપતીને પુત્રની ઇચ્છા હોય છે તે આ મંદિરમાં આવે છે. માતાજીના ચરણોમાં પડેલા લાકડું ચોરી કરી સાથે લઈ જાય છે તને અવશ્ય પુત્ર પ્રાપ્તિ થાય છે. પુત્ર પ્રાપ્તિ પછી અષાઢ મહિનામાં માતા-પિતાએ પુત્રની સાથે માતાના દરબારમાં માથું ટેકવવા જવું જરૂરી માનવામાં આવે છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

જણાવી દઈએ કે મંદિરેથી લેવામાં આવેલા લાકડાના ટુકડા સાથે અન્ય એક લાકડાના ટુકડાને તેમના પુત્રના હાથથી ચડાવવાની પ્રથા સદીઓથી ચાલી રહી છે. ગામની દરેક દીકરી પણ લગ્ન પછી પુત્રને જન્મ આપ્યા બાદ લાકડું ચડાવવાનું નથી ભૂલતી.

લોકો કહે છે કે એકવાર લંઘોરાના રાજકુમાર જંગલમાં શિકાર કરવા માટે આવ્યા, જંગલમાં ચાલતા જતા તેમણે માતાના દર્શન કર્યા. રાજાને ત્યાં કોઈ પુત્ર નહોતો. તે જ સમયે રાજાએ તે સમયે માતાજી પાસેથી પુત્ર પ્રાપ્તિ માટે માનતા માની હતી. પુત્ર પ્રાપ્તિ બાદ વર્ષ 1805માં મંદિરનું ભવ્ય નિર્માણ કર્યું હતું.

લોકપ્રિય દંતકથા અનુસાર, માતા સતીના પિતા રાજા દક્ષ પ્રજાપતિ દ્વારા આયોજિત યજ્ઞમાં ભગવાન શિવને આમંત્રણ આપવામાં આવ્યું ના હતું જેનાથી ક્રોધિત અને નિરાશ થઈને માતા સતીએ યજ્ઞમાં કૂદીને ખુદને વિધ્વંસ કરી દીધા હતા. કહેવામાં આવે છે કે, આ બાદ ભગવાન શિવ જે સમયે માતા સતીના મૃત શરીરને લઈને જઈ રહ્યા હતા ત્યારે માતાજીનો ચૂડલો ઘનઘોર જંગલમાં પડી ગયો હતો. આ બાદ માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ થયું હતું.

ઉત્તરાખંડમાં આવેલું આ પ્રાચીન સિદ્ધપીઠ મંદિર સદીઓથી તીર્થસ્થાન તરીકે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. આ કારણોસર આજે પણ હજારો લોકો માતાના દર્શન માટે દૂર-દૂરના વિસ્તારોમાંથી આવે છે. જો કે, નવરાત્રી દરમિયાન આ સ્થાનની સુંદરતા જોવા મળે છે. મંદિરમાં ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવે છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">