Apara Ekadashi : આજે જ અજમાવી લો આ મહાઉપાય, એકાદશી અપાવશે ભગવાન વિષ્ણુની મહાકૃપા !

અપરા એકાદશીએ (Apara Ekadashi) ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પીળા રંગના પુષ્પ, પીળા ફળ અને પીળા રંગની મીઠાઈ જરૂરથી અર્પણ કરવી જોઇએ. કહે છે કે આજના દિવસે પ્રભુને કેળાનું નૈવેદ્ય અર્પણ કરવાથી વ્યક્તિના સઘળા પાપ નષ્ટ થઈ જાય છે.

Apara Ekadashi : આજે જ અજમાવી લો આ મહાઉપાય, એકાદશી અપાવશે ભગવાન વિષ્ણુની મહાકૃપા !
Lord Vishnu (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: May 26, 2022 | 9:10 AM

હિન્દુ પંચાગ મુજબ દર મહિને 2 એકાદશી (Ekadashi) આવતી હોય છે. આ દરેક એકાદશીનું પોતાનું આગવું જ મહત્વ હોય છે. એ જ રીતે દરેક એકાદશીના દિવસે કરવામાં આવતી વિષ્ણુ પૂજાનું (Vishnu puja)  પણ આગવું જ મહત્વ હોય છે. આ દરેક એકાદશીમાં અપરા એકાદશીનું (Apara Ekadashi) સવિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ વખતે અપરા એકાદશી અને ગુરુવારનો સંયોગ સર્જાયો છે. એકાદશી અને ગુરુવાર બંન્ને ભગવાન વિષ્ણુને સમર્પિત હોઈ, આ તિથિ સવિશેષ ફળની પ્રાપ્તિ કરાવનારી મનાઈ રહી છે. ત્યારે આવો, એ જાણીએ કે આજે શું ખાસ કરવું કે જેનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય, અને ભક્તને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરાવે.

એકાદશી પૂજાની સામગ્રી

  • ભગવાન વિષ્ણુજીની પ્રતિમા, મૂર્તિ કે ચિત્ર
  • પીળા રંગના પુષ્પ
  • પીળા રંગના ફળ
  • લવિંગ
  • નારિયેળ
  • સોપરી
  • ધૂપબત્તી
  • ઘી
  • દીવો
  • પંચામૃત
  • અક્ષત
  • તુલસીદળ
  • ચંદન
  • પીળા રંગની મીઠાઈ

વિષ્ણુ કૃપાના મહાઉપાય

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

શુભતા અને ધન પ્રાપ્તિ અર્થે

શુભ-લાભ અને ધન પ્રાપ્તિ અર્થે અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા અવશ્ય કરવી જોઇએ.

આજના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રતિમા કે મૂર્તિની સ્થાપના અવશ્ય કરવી જોઇએ.

ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પીળા રંગના પુષ્પ, પીળા ફળ અને પીળા રંગની મીઠાઇ અવશ્ય અર્પણ કરવી જોઇએ.

પાપ મુક્તિ અર્થે

ભગવાન વિષ્ણુના સવિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા કેળાનો ભોગ અવશ્ય અર્પણ કરવો જોઇએ. આવું કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ તો મળે જ છે સાથે સાથે આપના દરેક પાપ નષ્ટ થાય છે.

ઘરમાં સકારાત્મક ઊર્જા અર્થે

અપરા એકાદશીના દિવસે સ્વસ્છ અને સાફ આસન પર બિરાજમાન થઇને ‘ૐ નમો ભગવતે વાસુદેવાય ’ મંત્રનો જાપ 108 વાર કરવો જોઇએ.

આ મંત્રજાપ કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ થાય છે અને ઘરમાં પવિત્રતાનું વાતાવરણ સર્જાય છે.

ઘરમાં પરમ શાંતિની અનુભૂતિ થશે.

સુખ, શાંતિ, સમૃદ્ધિ અર્થે

ઘરની સુખ, શાંતિ તથા સમૃદ્ધિ માટે અપરા એકાદશીના દિવસે ગાયના શુદ્ધ ઘીનો દીવો ભગવાન વિષ્ણુજી સમક્ષ અવશ્ય પ્રજવલિત કરવો જોઇએ.

દેવા મુક્તિ અર્થે

અપરા એકાદશીના દિવસે દેવામાંથી મુક્તિ અર્થે પીપળાના વૃક્ષમાં જળ અર્પણ કરવું જોઇએ. તેનાથી આપને દેવામાંથી તો મુક્તિ મળે જ છે સાથે આપાના પિતૃઓની કૃપા પણ આપના પર વસરશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">