આજે હરિયાળી અમાસનો અવસર, એક વૃક્ષ આપના જીવનમાં લાવશે ખુશીઓની હરિયાળી !

અષાઢ માસની અમાસની તિથિ એ દિવાસા તરીકે ઓળખાય છે. આ અષાઢી અમાસને આપણે હરિયાળી અમાસ (hariyali amavasya) પણ કહીએ છીએ. અષાઢી અમાસને વર્ષનો ઉત્તમ દિવસ ગણવામાં આવે છે. કારણ કે દિવાસાથી (divaso) જ વ્રત અને ઉત્સવોની શરૂઆત થાય છે. દિવાસાથી લઈ દિવાળી સુધી તહેવારોની ઋતુ રહે છે. જેમકે શિવજીનો પ્રિય માસ એવો શ્રાવણ માસ શરૂ […]

આજે હરિયાળી અમાસનો અવસર, એક વૃક્ષ આપના જીવનમાં લાવશે ખુશીઓની હરિયાળી !
Bili Tree
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jul 28, 2022 | 6:15 AM

અષાઢ માસની અમાસની તિથિ એ દિવાસા તરીકે ઓળખાય છે. આ અષાઢી અમાસને આપણે હરિયાળી અમાસ (hariyali amavasya) પણ કહીએ છીએ. અષાઢી અમાસને વર્ષનો ઉત્તમ દિવસ ગણવામાં આવે છે. કારણ કે દિવાસાથી (divaso) જ વ્રત અને ઉત્સવોની શરૂઆત થાય છે. દિવાસાથી લઈ દિવાળી સુધી તહેવારોની ઋતુ રહે છે. જેમકે શિવજીનો પ્રિય માસ એવો શ્રાવણ માસ શરૂ થાય છે. જેમાં રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા ઉત્સવો આવે છે. ત્યારબાદ ગણેશ ઉત્સવ, નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોની (festival) હારમાળા સર્જાય છે. દિવાસોથી શરૂ કરીને દેવ દિવાળી સુધી, એટલે કે લગભગ 100 દિવસ સુધી કોઈને કોઈ ઉત્સવો આવતા જ રહે છે. આ સારા દિવસોની શરૂઆતને જ દિવાસા તરીકે ઓળખવામાં આવે છે.

ઘણી સ્ત્રીઓ દિવાસાના અવસર પર વ્રત કરતી હોય છે. આ વ્રતમાં સ્ત્રીઓ 36 કલાકનું જાગરણ પણ કરે છે. પરંતુ, ઘણાં ઓછાં લોકો જાણે છે કે હરિયાળી અમાસના નામે પ્રસિદ્ધ આ તિથિએ વૃક્ષારોપણનું પણ સવિશેષ મહત્વ છે. વર્ષાઋતુમાં ચોતરફ લીલીછમ વનરાજી છવાઈ જાય છે. ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે. એટલે જ તો અષાઢ માસની અમાસને આપણે હરિયાળી અમાસ કહીએ છીએ. અને કહે છે કે આ તિથિ પર વિધ વિધ પ્રકારના વૃક્ષો રોપવાથી વ્યક્તિની વિવિધ કામનાઓની પૂર્તિ થતી હોય છે. ત્યારે આવો જાણીએ કે કઈ મનશાની પૂર્તિ અર્થે કયા વૃક્ષની વાવણી કરવી જોઈએ.

સંતાન પ્રાપ્તિ અર્થે

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

જો આપ સંતાન સુખ પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો દિવાસા પર પીપળાનું, લીમડાનું અથવા તો કદંબનું ઝાડ વાવવું જોઈએ.

બીમારીથી મુક્તિ અર્થે

જો આપ વારંવાર સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવ તો અષાઢી અમાસના રોજ બ્રાહ્મી, અર્જુન, આમળા, તુલસી, સૂરજમુખી કે પલાશના છોડને વાવવું જોઈએ.

લક્ષ્મીકૃપા અર્થે

લક્ષ્‍મી કૃપા મેળવવા માટે એટલે કે આર્થિક પ્રગતિ માટે હરિયાળી અમાસના રોજ કેળા, બિલ્વપત્ર, આમળા કે તુલસીનો છોડ વાવવો જોઈએ.

ભાગ્યોદય અર્થે

જો આપ ભાગ્યોદયની કામના રાખો છો તો આપ આપના ઘરની આસપાસ નાળિયેર કે વડનો છોડ વાવી શકો છો.

શાંતિ અર્થે

હરિયાળી અમાસે લીમડાના કે કદંબના છોડને રોપવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ સ્થિર થાય છે.

એક માન્યતા અનુસાર માત્ર છોડ વાવવાથી વ્યક્તિની મનોકામના પૂર્ણ નથી થતી, પરંતુ, જેમ જેમ છોડની વૃદ્ધિ થાય છે તેમ તેમ વ્યક્તિની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે. એટલે કે એક વખત વૃક્ષ વાવ્યા પછી તેના ઉછેરમાં પણ ખૂબ જ ધ્યાન રાખવુ જરૂરી છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">