ઋણમાંથી મુક્તિની પ્રાપ્તિ કરાવશે આ રાધાષ્ટમી, જાણો દેવી રાધાને પ્રસન્ન કરવાની અત્યંત સરળ વિધિ

વાસ્તવમાં તો દેવી રાધા એ લક્ષ્મી સ્વરૂપા જ મનાય છે. એટલે જેમ લક્ષ્મીને પ્રસન્ન કરવાથી ઘરમાં ધનનું, સમૃદ્ધિનું આગમન થાય છે, તે જ રીતે દેવી રાધાની આરાધના કરવાથી પણ ઘરમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થાય છે.

ઋણમાંથી મુક્તિની પ્રાપ્તિ કરાવશે આ રાધાષ્ટમી, જાણો દેવી રાધાને પ્રસન્ન કરવાની અત્યંત સરળ વિધિ
ઋણમુક્તિના આશિષ પ્રદાન કરશે દેવી રાધા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 12:14 PM

ભાદરવા મહિનાની સુદ પક્ષની આઠમની તિથિ એ દેવી રાધાનો (Radha) પ્રાગટ્ય દિવસ મનાય છે. સમગ્ર ભારતમાં અને ખાસ તો વ્રજ ભૂમિમાં ભક્તો હર્ષોલ્લાસ સાથે તેની ઉજવણી કરે છે. પણ, સૌથી મહત્વની વાત તો એ છે, કે આ દિવસ એ રાધારાણીની કૃપાને પ્રાપ્ત કરવા માટે પણ સર્વોત્તમ મનાય છે. એટલું જ નહીં, એક માન્યતા અનુસાર આ દિવસે જો કેટલાંક વિશેષ ઉપાય અજમાવવામાં આવે, તો વ્યક્તિને દેવામાંથી પણ મુક્તિની પ્રાપ્તિ થઈ શકે છે. આવો, તે સંદર્ભે જ વાત કરીએ.

વાસ્તવમાં તો દેવી રાધા એ લક્ષ્મી સ્વરૂપા જ મનાય છે. એટલે જેમ લક્ષ્મીને પ્રસન્ન કરવાથી ઘરમાં ધનનું, સમૃદ્ધિનું આગમન થાય છે, તે જ રીતે દેવી રાધાની આરાધના કરવાથી પણ ઘરમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થાય છે. સૌથી મહત્વની વાત એ છે કે આ માટે કોઈ વિશેષ પૂજા પાઠ પણ નથી કરવાના. બસ, આસ્થા સાથે એક મંત્રનો જાપ કરવાનો છે. આ મંત્ર નીચે મુજબ છે.

ફળદાયી મંત્ર “ૐ હ્રીં રાધિકાયૈ નમઃ । ” “ૐ હ્રીં શ્રીરાધાયૈ સ્વાહા ।”

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

માન્યતા અનુસાર ધનની પ્રાપ્તિ અર્થે ઉપરોક્ત બેમાંથી કોઈ પણ એક મંત્રનો આસ્થા સાથે જાપ કરી શકાય. આ મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરવો. રાધાષ્ટમીથી શરૂ કરી નિત્ય તેના જાપ થઈ શકે તો તે વિશેષ લાભદાયી બની રહેશે. જો તે શક્ય ન હોય તો અઠવાડિયે એક વાર જરૂર પ્રયોગ કરવો.

ફળપ્રાપ્તિ માન્યતા અનુસાર રાધાષ્ટમીએ આસ્થા સાથે જ્યારે આ મંત્રના જાપ કરવામાં આવે છે, ત્યારે દેવી રાધા અત્યંત પ્રસન્ન થાય છે. આખરે, એવાં સંજોગોનું નિર્માણ થાય છે કે, વ્યક્તિ ઝડપથી તેનું દેવું ચૂકવી શકે અને સાથે જ ઘરમાં સુખ અને સમૃદ્ધિ પણ સ્થિર થશે. એક માન્યતા એવી છે કે જે રાધાષ્ટમીએ આસ્થા સાથે આ મંત્રના જાપ કરે છે, તેમના ઘરમાં ક્યારેય નાણાની ખોટ નથી વર્તાતી.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ જાણો જયપુરના મોતી ડૂંગરી ગણેશજીનો મહિમા, લાડુના પ્રસાદથી પ્રસન્ન થાય છે આ એકદંતા આ પણ વાંચોઃ રાધાષ્ટમી પર જાણો કોણ છે શ્રી રાધા ? આ દિવસ સાથે જોડાયેલી મહત્વની વાતો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">