શાકંભરીના દર્શન પહેલાં શા માટે થાય છે બાબા ભૂરાદેવના દર્શન ?

શાકંભરી (SHAKAMBHARI) શક્તિપીઠના દર્શનની યાત્રા બાબા ભૂરાદેવના દર્શન બાદ જ પૂર્ણ થાય છે. બાબા ભૂરાદેવના આશીર્વાદ બાદ જ મા શાકંભરી ભક્તોની મનશા પૂર્ણ કરે છે !

શાકંભરીના દર્શન પહેલાં શા માટે થાય છે બાબા ભૂરાદેવના દર્શન ?
શાકંભરીના પરમ ભક્ત બાબા ભૂરાદેવ
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jan 28, 2021 | 2:36 PM

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં આવેલું જસમોર ગામ શાકંભરી (SHAKAMBHARI) શક્તિપીઠના લીધે સમગ્ર ભારતમાં ખ્યાત છે. દેવીએ આ જ ભૂમિ પર શતાક્ષી, શાકંભરી રૂપ ધારણ કર્યું હોવાની લોકવાયકા તો છે જ. પણ, કહે છે કે અસુર દુર્ગમનો વધ પણ દેવીએ આ જ ભૂમિ પર કર્યો હતો ! અને દુર્ગમ સામેના આ યુદ્ધમાં દેવીને સહાય કરી હતી બાબા ભૂરાદેવજીએ !

સહારનપુરમાં શાકંભરી દેવીના સ્થાનકથી એકાદ કિલોમીટરના અંતરે જ બાબા ભૂરાદેવજીનું મંદિર આવેલું છે. માતા શાકંભરીના દર્શને આવનારા ભાવિકો સર્વ પ્રથમ ભૂરાદેવજીના જ દર્શન કરે છે. પ્રચલિત માન્યતા અનુસાર ભૂરાદેવના દર્શનથી જ આ યાત્રા પરિપૂર્ણ થાય છે. એમાંય દેવીના દર્શન પહેલાં જ ભૂરાદેવજીના દર્શન કરવાનું વિધાન છે ! અને આવું શા માટે છે તેની સાથે એક રોચક કથા જોડાયેલી છે.

લોકવાયકા અનુસાર ભૂરાદેવજી મા ભગવતીના પરમ ઉપાસક હતા. જ્યારે ભગવતીનું દુર્ગમાસુર સાથે યુદ્ધ થયું, ત્યારે ભૂરાદેવજી તેમના પાંચ સાથીઓ સાથે આ યુદ્ધમાં જોડાયા. ભૂરાદેવજીએ અનેક અસુરોનો સંહાર કર્યો. પણ, અંતે તેઓ વીરગતિને પામ્યા.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

આદ્યશક્તિએ દુર્ગમનો વધ કરી યુદ્ધનો અંત આણ્યો. ત્યારબાદ રણભૂમિમાં ભૂરાદેવજીનું શબ જોઈ સંજીવની વિદ્યાથી તેમને જીવિત કર્યા. અને કહ્યું…

મા દુર્ગાઃ “હે પુત્ર ! હું તારી નિષ્ઠાથી પ્રસન્ન છું. તું ઈચ્છે તો હું તને દીર્ઘાયુ રહેવાનું વરાદન આપી શકું છું !”

બાબા ભૂરાદેવઃ “હે મા ! મને તો એટલું જ વરદાન જોઈએ છે, કે હું સદૈવ આપના ચરણોમાં રહી આપની સેવા કરું !”

મા દુર્ગાઃ “હે ભૂરા ! મારું તને વરદાન છે, કે તારું નામ યુગો સુધી અમર રહેશે ! આ ભૂમિ પર મારા દર્શને આવનારા ભક્તો સર્વ પ્રથમ તારા દર્શન કરશે. તારી પૂજા પહેલાં થયેલી મારી પૂજાનો હું ક્યારેય સ્વીકાર નહીં કરું !

માન્યતા અનુસાર મા દુર્ગાના આ વરદાનને લીધે જ શિવાલિક ક્ષેત્રમાં સર્વ પ્રથમ ભૂરાદેવજીના દર્શનનો મહિમા છે.

આમ તો, બારેમાસ ભાવિકો શાકંભરી શક્તિપીઠના દર્શને ઉમટતા જ રહે છે. પણ, નવરાત્રી અને હોળી પર મા શાકંભરીના દર્શનનો સવિશેષ મહિમા છે. તો, આસો નવરાત્રી અને શાકંભરી જયંતી પર માના સાનિધ્યે મેળો લાગે છે. જેમાં ભાગ લેવાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડે છે.

એક કથા અનુસાર મા ભગવતીએ આ જ ભૂમિ પર સો વર્ષ સુધી તપ કર્યું હતું. આ તપસ્યા દરમિયાન દેવી મહિનામાં માત્ર એક જ વાર ભોજન ગ્રહણ કરતા ! એ પણ માત્ર શાકભાજી અને ફળફળાદી જ ગ્રહણ કરતા ! જેને લીધે દેવી અહીં શાકંભરીના નામે પૂજનીય બન્યા ! ઉત્તર ભારતમાં નવ દેવીઓના દર્શનની યાત્રાનો મહિમા છે, અને આ નવ દેવી દર્શનની યાત્રા મા શાકંભરીના દર્શનથી જ પરિપૂર્ણ થાય છે !

આ પાવની ધરા આદિ શંકરાચાર્યની તપોભૂમિ રહી હોવાનું મનાય છે. તો, ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્યએ પણ માના સાનિધ્યે ઘણો સમય પસાર કર્યો હોવાનું ઇતિહાસ નોંધે છે. ત્યારે આ જ બધી બાબતો શાકંભરી શક્તિપીઠની મહત્તાને અભિવ્યક્ત કરવા પૂરતી છે.

આ પણ વાંચો શાકંભરી પ્રાગટ્ય દિને જાણો મા શાકંભરીની પ્રગટ ભૂમિનો મહિમા

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">