શનિદેવના અશુભ પ્રભાવથી મુક્તિ મેળવવા શનિવારે કરો આ 5 ઉપાય, તમારી બધી સમસ્યાઓ થશે દૂર
શનિને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશતા લગભગ અઢી વર્ષનો સમય લાગે છે. શનિના સંક્રમણ દરમિયાન વિવિધ રાશિના લોકોને અલગ-અલગ પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે.
શનિ એક એવો ગ્રહ છે જે તમારું ભાગ્ય ચમકાવીને તમને રાજા બનાવી શકે છે અને રાજામાંથી રંક પણ બનાવી શકે છે. તે બધું તમારી કુંડળીમાં શનિની (Shanidev) સ્થિતિ પર આધારિત છે. અન્ય ગ્રહોની જેમ શનિ પણ અન્ય રાશિઓમાં સંક્રમણ કરે છે. શનિને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશતા લગભગ અઢી વર્ષનો સમય લાગે છે. શનિના સંક્રમણ દરમિયાન વિવિધ રાશિના લોકોને અલગ-અલગ પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે.
કેટલાક માટે આ સ્થિતિ શુભ છે તો કેટલાક માટે શનિની ઢૈયા અને સાડાસાતીના પ્રકોપનો સામનો કરવો પડે છે. એવું માનવામાં આવે છે કે શનિની અશુભ સ્થિતિ વ્યક્તિની કારકિર્દીમાં અવરોધ લાવે છે અને તેને શારીરિક, માનસિક અને આર્થિક ત્રણેય રીતે સંઘર્ષ કરવો પડે છે. જો તમારા જીવનમાં બધી સમસ્યાઓ શનિદેવના કારણે ચાલી રહી છે, તો અહીં જણાવેલા ઉપાયો દ્વારા તમે શનિદેવને પ્રસન્ન કરી શકો છો અને તેમના અશુભ પ્રભાવથી મુક્તિ મેળવી શકો છો.
1. હનુમાનજીની પૂજા પૌરાણિક કથાઓ અનુસાર શનિદેવે હનુમાનજીને વચન આપ્યું હતું કે તેઓ તેમના ભક્તોને ક્યારેય પરેશાન નહીં કરે. તેથી શનિવારે હનુમાનજીની પૂજા કરો. હનુમાન ચાલીસા, સુંદરકાંડ વગેરેનો પાઠ કરો.
2. રૂદ્રાક્ષ ધારણ કરો જો શનિની ખરાબ સ્થિતિને કારણે તમારા જીવનમાં બધું બરબાદ થઈ રહ્યું છે તો તમારે શનિવાર અથવા સોમવારે ગંગાજળથી ધોઈને સાતમુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. થોડા દિવસોમાં તેની શુભ અસર મળવા લાગશે અને તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે.
3. શનિ મંત્રોનો જાપ કરો ‘ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः’ અને ‘ॐ शं शनिश्चरायै नमः’ આ મંત્રોનો જાપ શનિવારે ઓછામાં ઓછી 2 માળાથી 5, 7, 9, 11 માળા સુધી કરી શકાય છે. આ મંત્રો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ સાથે ગરીબો અને જરૂરિયાતમંદોને દાન કરો.
4. પીપળાની પૂજા શનિવારે પીપળની પૂજા કરો. પીપળમાં 33 કોટિ દેવતાઓનો વાસ માનવામાં આવે છે. આ સાથે ભગવાન કૃષ્ણએ પીપળને પોતાનું સ્વરૂપ ગણાવ્યું છે. શનિદેવ પણ ભગવાન કૃષ્ણના પરમ ભક્ત છે. તેથી શનિવારે પીપળની પૂજા કરવાથી તેઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોના કષ્ટો દૂર કરે છે. શનિવારે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને પીપળના ઝાડ નીચે રાખો.
5. સરસવના તેલનું દાન કરો શનિવારે સરસવના તેલનું દાન કરો. દાન કરતા પહેલા તેને એક વાસણમાં લો અને તેમાં તમારો ચહેરો જુઓ. પછી દાન કરો. આમ કરવાથી શનિ સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ સિવાય સરસવના તેલનો પરોરઠા બનાવીને શનિવારે કૂતરાને ખવડાવો.
ભક્તો પોતાના સમય, સંજોગ અને પરિસ્થિતિ અનુસાર ઉપરોક્ત જણાવેલા એક કે વધારે ઉપાય કરી શનિદેવને પ્રસન્ન કરી શકે છે.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Last Lunar Eclipse of 2021: શા માટે થાય છે દર વર્ષે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ ? જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો!