Shani Dev: 2023 બાદ આ રાશિઓને નહીં કરે શનિદેવ પરેશાન, જીવનમાં થશે પ્રગતિ

Shani Dev : નવું વર્ષ કેટલાક લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. જે રાશિઓ પર 2022માં શનિ ભારે હતો, હવે તે રાશિઓને જ 2023માં શનિનો લાભ મળવાનો છે.

Shani Dev: 2023 બાદ આ રાશિઓને નહીં કરે શનિદેવ પરેશાન, જીવનમાં થશે પ્રગતિ
Shani Dev
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2022 | 1:13 PM

શનિદેવની ચાલ બદલાવાની છે. તેની શરૂઆત થઈ ચૂકી છે. અત્યાર સુધી શનિ વક્રી હતા, જે ગત 23 ઓક્ટોબર, 2022થી માર્ગી થયા છે. મતલબ કે શનિ ચાલ ચાલી રહ્યા છે. હાલમાં શનિ મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આવતા વર્ષે એટલે કે 2023માં શનિ રાશિ પરીવર્તન કરશે. જે લોકોને શનિ અશુભ પરિણામ આપી રહ્યા હતા, તેમને રાશિ પરિવર્તન થતા જ શુભ ફળ મળશે.

શનિનું રાશિ પરિવર્તન 2023

નવું વર્ષ ખૂબ જ ખાસ છે. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર કલિયુગના દંડદાતા શનિદેવ નવા વર્ષમાં તેમની રાશિ બદલી રહ્યા છે. જેની અસર મેષ થી મીન રાશિના લોકો પર પડશે. વર્ષ 2023એ સૌથી મહત્વપૂર્ણ રાશિ પરિવર્તનોમાંનું એક છે. પંચાંગ અનુસાર, 17 જાન્યુઆરી, 2023ના રોજ રાત્રે 8:02 વાગ્યે, શનિદેવ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં ગોચર કરશે.

શનિ 30 વર્ષ પછી કુંભ રાશિમાં આવી રહ્યો છે

શનિ 30 વર્ષ પછી કુંભ રાશિમાં આવી રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ કુંભ રાશિના સ્વામી છે. મતલબ કુંભ રાશિમાં 30 વર્ષ એક અદ્ભુત સંયોગ હશે. કુંભ રાશિમાં આવ્યા બાદ શનિદેવ દેશ અને દુનિયાની સાથે તમામ રાશિઓ પર અસર કરશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આ રાશિના જાતકોને શનિ સાડાસાતી અને ઢૈયાથી મુક્તિ મળશે

કુંભ રાશિમાં શનિનું સંક્રમણ થતાં જ 4 રાશિઓને વિશેષ રાહત મળશે. આ રાશિના જાતકો માટે શનિનું રાશિ પરિવર્તન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો જન્મકુંડળીમાં શનિ શુભ હોય તો શનિનું રાશિ પરિવર્તન નોકરી, કરિયર, દાંપત્ય જીવન વગેરે માટે શુભ સાબિત થશે. 17 જાન્યુઆરી, 2023થી ધન રાશિને શનિની સાડાસાતીથી મુક્તિ મળશે. બીજી તરફ મિથુન અને તુલા રાશિના જાતકોને શનિની ઢૈયાથી મુક્તિ મળશે. આ સાથે કુંભ રાશિ પર શનિની સાડા સાતીનો અંતિમ ચરણ શરૂ થશે. જે શુભ ફળ આપશે. આ રીતે શનિનું રાશિ પરિવર્તન આ ચાર રાશિના લોકો માટે સારું પરિણામ લાવી રહ્યું છે.

આ ભૂલો ના કરો

જો કુંડળીમાં બેઠેલો શનિ અશુભ પરિણામ આપી રહ્યો હોય તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું. એવા કામ ન કરો જેનાથી શનિદેવની નારાજગી વધે. શનિદેવને શાંત કરવા માટે રાખો આ વાતોનું ધ્યાન-

  • પશુ-પક્ષીઓ અને પ્રાણીઓને નુકસાન ન કરો.
  • નબળા લોકોનું શોષણ ન કરો.
  • ખોટા કાર્યો માટે પૈસાનો ઉપયોગ ન કરો.
  • લાચાર અને નબળા લોકોને મદદ કરો.
  • રક્તપિત્તના દર્દીઓની સેવા કરો.
  • શિયાળામાં જરૂરિયાતમંદ લોકોને કાળા ધાબળાનું દાન કરો.
  • બીજાની ટીકા ન કરો.
  • કોઈને છેતરશો નહીં.

શનિ મહામંત્ર

ॐ निलान्जन समाभासं रविपुत्रं यमाग्रजम। छायामार्तंड संभूतं तं नमामि शनैश्चरम॥

શનિ દોષ નિવારણ મંત્ર

ऊँ त्रयम्बकं यजामहे सुगंधिम पुष्टिवर्धनम। उर्वारुक मिव बन्धनान मृत्योर्मुक्षीय मा मृतात।।

શનિવારે મંત્રોની માળા જાપ કરવાથી શનિની અશુભતા દૂર થાય છે. આ સાથે શનિ ચાલીસાનો પાઠ પણ લાભદાયક માનવામાં આવે છે. આ સાથે તમે શનિવારે શનિદેવ સાથે જોડાયેલી વસ્તુઓનું દાન પણ કરી શકો છો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">