Shirdi Sai Baba : સાંઈના 11 વચનોમાં છે દરેક સમસ્યાનું સમાધાન ! જે પાલન કરશે, તેને મળશે અનેક લાભ

સાંઈએ તેમના જીવનમાં ઘણા ચમત્કારો કર્યા હતા, જે આજે પણ એક કોયડા સમાન છે. મહત્વની વાત એ છે કે આજે પણ ભક્તોને તેમના ચમત્કારનો અનુભવ થાય છે.

Shirdi Sai Baba : સાંઈના 11 વચનોમાં છે દરેક સમસ્યાનું સમાધાન ! જે પાલન કરશે, તેને મળશે અનેક લાભ
Shirdi Sai Baba
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2021 | 5:33 PM

ભારતમાં એવા ઘણા સંતો અને મહાપુરુષો થયા કે જેમની સાથે લાખો લોકોની આસ્થા જોડાયેલી છે. તેમાંથી એક શિરડીના સાંઈ બાબા (Shirdi Sai Baba) છે, જેનું આખું જીવન ચમત્કારથી ભરેલું હતું. સાંઈએ તેમના જીવનમાં ઘણા ચમત્કારો કર્યા હતા, જે આજે પણ એક કોયડા સમાન છે. મહત્વની વાત એ છે કે આજે પણ ભક્તોને તેમના ચમત્કારનો અનુભવ થાય છે.

ગુરુવારેના દિવસે સાંઈ બાબાની (Sai Baba) પાલખી યાત્રા નીકળે છે. તેના દર્શન અને આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે. ચાલો આપણે જાણીએ સાંઈ બાબાના અગિયાર વચન, જેને વાંચી અને ભક્તિ સાથે તેમનું પાલન કરવાથી શુભ ફળની પ્રાપ્તી થાય છે અને અટકાયેલા કાર્યો પૂર્ણ થાય છે.

1. જે શિરડીમાં આવશે, મુશ્કેલીઓ તેની દુર થશે

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

સાંઈ બાબા કહે છે કે જે કોઈ ભક્ત શિરડી દર્શન માટે આવશે, તેની બધી મુશ્કેલીઓનો અંત આવશે.

2. સમાધિની સીડી ચડશે, તેના દુ:ખ ભાગશે

સાંઈના કહેવા અનુસાર, જે કોઈ વ્યક્તિ તેમની સમાધીની સીડી પર પગ મૂકશે, સાંઇ તે ભક્તનાં દુ:ખ દૂર કરશે.

3. દેહ ત્યાગ કરીને જઈશ, ભક્ત માટે દોડીને આવીશ

સાંઈના કહેવા પ્રમાણે ભલે તેમણે પોતાનો દેહ ત્યાગ કર્યો છે, પરંતુ તેમના ભક્ત શ્રદ્ધાથી તેમને યાદ કરી બોલાવશે તો તે મદદ માટે જરૂરથી આવશે.

4. મનમા દ્રઢ વિશ્વાસ રાખો, સમાધિ કરશે તમારી ઇચ્છા પૂર્ણ

સાંઈના કહેવા મુજબ, તેના દરેક ભક્તે મુશ્કેલીના સમયમાં દ્રઢ વિશ્વાસ રાખવો જોઈએ, કે તેની તમામ સમસ્યાનું સમધાન સાંઈની સમાધિ પર મળશે.

5. મને હંમેશા જીવંત જ જાણો, અનુભવ કરો સત્ય જાણો

સાંઈ કહે છે કે મારું અસ્તિત્વ ફક્ત શરીર સુધી મર્યાદિત નથી, પરંતુ હું હંમેશા પરમાત્માના અંશની જેમ સદાયને માટે જીવીત રહીશ.

6. મારા શરણ આવી ખાલી જાય, કોઈ હોય તો મને કહો

સાંઈ બાબા ખાતરી આપે છે કે, જે કોઈ ભક્ત મારા શરણે આવે છે, તે ખાલી હાથે પાછો ફરતો નથી. જો કોઈ આવા ભક્ત હોય તો મને કહો.

7. જેવો જેનો ભાવ તેવું મારૂ સ્વરૂપ

સાંઈ બાબા કહે છે કે, જે કોઈ ભક્ત મારા દર્શન જે ભાવથી કરશે તેમને હું તે જ સ્વરૂપમાં દર્શન આપીશ.

8. તમારો ભાર મારા પર રહેશે, આ વચન છે મારૂ

સાંઈના મતે, જે કોઈ ભક્ત તેની ભક્તિથી સંપૂર્ણ રીતે મને સમર્પિત છે, તો તેમની સંપૂર્ણ કાળજી સાંઈ લેશે.

9. આવી મારી સહાય લો, જે માંગશો તે બહુ દૂર નથી

સાંઈના મતે, જે કોઈ ભક્ત શ્રદ્ધા અને પ્રેમથી તેમની પાસે કોઈ ઈચ્છા રાખશે, સાંઈ બાબા નિશ્ચિતરૂપે તેની મનોકામના પૂર્ણ કરશે.

10. મન, વચન અને દેહથી સાંઈમાં લીન થાઓ

સાંઈ કહે છે કે જો કોઈ ભક્ત તન, મન અને વચનથી મારામાં લીન થાય છે, તે ભક્તના સાંઈ હંમેશા ઋણી રહેશે.

11. ધન્ય છે તે ભક્ત, જે સાંઈ ભક્તિમાં છે લીન

સાંઈના મતે, ધન્ય છે તે ભક્ત જે શ્રદ્ધા સાથે સાંઈ ભક્તિમાં લીન થાય છે, તેઓ હંમેશા તેમના માટે પ્રિય ભક્ત હોય છે.

નોંધ: અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આ માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવી છે.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">