Rashifal 2022: કર્ક રાશિને પનોતિ પહેલા કેવું રહેશે, સિંહ રાશિનાં જાતકોનાં કેવા રહેશે આર્થિક હાલ, કન્યા રાશિ વાળા માટે શું છે શત્રુવિજય યોગ, જુઓ ખાસ માહિતિ
નવા વર્ષનાં પ્રારંભે કેવું રહેશે તમારૂ આ નવું વર્ષ તે જાણવા માટે તમામ લોકો ઉત્સુક રહેતા હોય છે. ટીવી નાઈનની ખાસ રજુઆતનાં માધ્યમથી અમે આપને જણાવીશું કે તમારા ગ્રહ શું કહી રહ્યા છે
Rashifal 2022: વિક્રમ સંવત 2078ની રાહ જોવાઈ રહી છે અને સાથે વર્ષ 2021 પણ જલ્દીથી પુરૂ થઈને નવા વર્ષની આલબેલ પોકારાઈ રહી છે. આ વચ્ચે નવા વર્ષનાં પ્રારંભે કેવું રહેશે તમારૂ આ નવું વર્ષ તે જાણવા માટે તમામ લોકો ઉત્સુક રહેતા હોય છે. ટીવી નાઈનની ખાસ રજુઆતનાં માધ્યમથી અમે આપને જણાવીશું કે તમારા ગ્રહ શું કહી રહ્યા છે. શું શનિ મહારાજ નવા વર્ષે તેમનો પ્રારંભ ઘટાડશે? શું તમારા જુના વર્ષનાં અટકેલા કામો આ વર્ષે સરળતાથી પાર પડશે કે કેમ?
જ્યોતિષિ ચેતન પટેલનાં જણાવ્યા અનુસાર કર્ક, સિંહ અને કન્યા રાશિનાં જાતકો માટે સારો સમય છે. અટકેલા કામ તો પાર પડશે જ સાથે ધંધા અને વેપાર માટે પણ આ રાશિનાં જાતકોને સારો સમય રહેશે. કર્ક રાશિનાં જાતકો માટે શનિ મહારાજની આવી રહેલી પનોતીનો પ્રભાવ વર્તાવા લાગશે, જો કે આર્થિક રીતે ઓછી તકલીફ રહેશે પરંતુ માનસિક રીતે સજ્જ થઈ જવાનો સમય રહેશે. કન્યા રાશિનાં જાતકો માટે શુભ સમય છે અને આ રાશિમાં એપ્રીલ મહિનાથી બની રહેલો શત્રુ વિજય યોગ જાતકો માટે બંને હાથમાં લાડુ બરાબર રહેશે.
કર્ક , સિંહ અને કન્યા રાશિની મહિલા જાતકોમાં લગ્નજીવનથી લઈ અપરિણિત લોકો માટે સારો સમય છે જીવનસાથીને શોધવા માટે અને સિંગલ લોકોને પણ તેમના મનપસંદ સાથીને મેળવવા માટે સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે પણ સારો સમય ચાલી રહ્યો છે, જો કે કર્ક રાશિનાં વિદ્યાર્થીઓએ સતત મહેનત કરતા રહેવું પડશે. સાંભળો આ આ ત્રણ રાશિનાં જાતકોનું આખુ ભવિષ્ય.