Putra Ekadashi 2021: આ દિવસે છે પુત્ર એકાદશી, જાણો શુભ મુહૂર્ત અને તેનું મહત્વ
વર્ષમાં આવતી 24 એકાદશીઓમાં એક પુત્રદા એકાદશી પણ છે, આ દિવસે શ્રીહરિ, ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો રિવાજ છે. આ દિવસે વ્યક્તિએ સંપૂર્ણ તન-મન -ધનથી આ વ્રત કરવું જોઈએ.
વર્ષમાં આવતી 24 એકાદશીઓમાં એક પુત્રદા એકાદશી પણ છે, આ દિવસે શ્રીહરિ, ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો રિવાજ છે. આ દિવસે વ્યક્તિએ સંપૂર્ણ તન-મન -ધનથી આ વ્રત કરવું જોઈએ. હિન્દુ પંચાંગ મુજબ હિંદુ ધર્મમાં એક વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે. એકાદશી હિન્દુ પંચાંગની 11મી તારીખે આવે છે. જણાવી દઈએ કે, આ તારીખ દર મહિને બે વાર આવે છે. એક પૂનમ પછી અને અમાસ પછી આમાંની એક પુત્રદા એકાદશી છે, જે દર મહિનાના પોષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તારીખે આવે છે. આ એકાદશીની માન્યતા હિન્દુ ધર્મમાં ખૂબ છે. આ વખતે 24 જાન્યુઆરીએ પુત્રદા એકાદશી છે. આ એકાદશીને પુત્ર પ્રાપ્તિ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. કહેવામાં આવે છે કે પણ આ એકાદશી કરે છે તેને પુત્ર સંતાનની પ્રાપ્તિ થાય છે.
ચાલો જાણીએ પુત્ર એકાદશીનું શુભ મુહૂર્ત અને તેનું મહત્વ
શુભ મુહૂર્ત-
એકાદશી તિથિ 23 જાન્યુઆરીએ સવારે 8.56થી શરૂ થઈ રહી છે, જે 24 જાન્યુઆરીએ રાત્રે 10 વાગ્યેને 57 મિનિટ પુરી થશે. આ ઉપવાસ પૂર્ણ થયા પછી પારણા 25 જાન્યુઆરીએ સવારે 7.13 વાગ્યાથી 9: 21વાગ્યાની વચ્ચે કરી શકશે. જ્યારે દ્વાદશી 26 જાન્યુઆરીના દિવસે મંગળવારે રાત્રે 12: 24 મિનિટ સુધી રહેશે.