પીપળાના વૃક્ષમાં હોય છે આ દેવોનો વાસ, જાણો કોણ બિરાજે છે પીપળામાં ?
ભગવદ ગીતામાં ભગવાન કહે છે, 'હું ઝાડમાં શ્રેષ્ઠ પીપળો છું.' ઋગ્વેદમાં તેને દેવ વૃક્ષ કહેવામાં છે કે સંસારને તમામ વસ્તુ આપે છે
ભારતીય સંસ્કૃતિમાં કેટલાક વૃક્ષોને દૈવી વૃક્ષો તરીકે માનવામાં આવે છે. પીપળાનું ઝાડ તેમાંથી એક છે. પીપળાનું વૃક્ષ દવાની દૃષ્ટિથી વધુ ફાયદાકારક છે, ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી વધુ મહત્વપૂર્ણ છે. ભગવદ ગીતામાં ભગવાન કહે છે, ‘હું ઝાડમાં શ્રેષ્ઠ પીપળો છું.’ ઋગ્વેદમાં તેને દેવ વૃક્ષ કહેવામાં છે કે સંસારને તમામ વસ્તુ આપે છે. દિવસ રાત પ્રાણવાયુ (ઑક્સીજન) આપતુ પીપળાનુ વૃક્ષ કે જેની નીચે બેસીને મહાત્મા બુદ્ધથી લઈને અનેક ઋષિ મુનીએ જ્ઞાનની પ્રાપ્તિ કરી છે.
તેના ઔષધીય ગુણધર્મોને લીધે, પીપળાના ઝાડને ‘કલ્પવૃક્ષ’ પણ કહેવામાં આવે છે. યજુર્વેદમાં, પીપળને દરેક યજ્ઞની જરૂરિયાત કહેવામાં આવી છે. અથર્વવેદમાં તેને દેવતાઓનો વાસ તરીકે વર્ણવે છે.સ્કંદપુરાણમાં વર્ણવેલ છે કે – વિષ્ણુ પીપળના મૂળમાં છે, તનોમાં કેશવ છે, ડાળીઓમાં નારાયણ છે, પાંદડાઓમાં હરિ છે અને બધા દેવ ફળમાં રહે છે. પીપળાના વૃક્ષ ભગવાનના વિશ્વ સ્વરૂપની આધ્યાત્મિક દ્રષ્ટિ આપે છે. કારણ કે શાસ્ત્રોમાં, બ્રહ્માંડને ઉંધા વૃક્ષ જેવા કહેવામાં આવે છે. શ્રીમદ્ ભાગવતમાં એક ઉલ્લેખ છે કે- દ્વાપર યુગમાં પરમધામ જતા પહેલા શ્રી કૃષ્ણ, તપસ્વી તરીકે, દૈવી પીપળના ઝાડ નીચે બેઠા અને ભગવાનના ધ્યાનમાં લીન થયા હતા. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે પ્રલય દરમિયાન, જ્યારે સૃષ્ટિ પાણીમાં ડૂબી હતી ત્યારે નવજાત શ્રી કૃષ્ણ પીપળાના પાન પર અંગૂઠો ચૂસતા દેખાયા હતા . તેનો આધ્યાત્મિક અર્થ એ છે કે પીપલના પાનના આકાર ગર્ભાશયની જેમ હોય છે. તેના પર પડેલા બાલકૃષ્ણનું આગમન એ સુવર્ણ યુગની શરૂઆતનો સંકેત આપે છે.
પીપળાની શ્રેષ્ઠતા વિશેના ગ્રંથો કહે છે કે – મૂલત: બ્રહ્મા રૂપાય, માધીટો વિષ્ણુ રૂપીણ: અગ્રત: શિવ રૂપાય અશ્વત્થાય નામો નામ:। અર્થાત્ બ્રહ્મા તેના મૂળમાં, વિષ્ણુ મધ્યમાં અને શિવ અગ્રભાગમાં છે. શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિ પીપળાની નીચે શિવ લિંગ સ્થાપિત કરીને પૂજા કરે છે, તો તેની બધી મનોકામના પૂર્ણ થાય છે.