Paush Purnima 2021: 28 જાન્યુઆરીએ પોષ પૂર્ણિમા, બને છે ગુરુ પુણ્ય યોગ, જાણો મુહૂર્ત
28 January 2021 Paush Purnima: તમામ મુશ્કેલીઓ અને અવ્યવસ્થાની વચ્ચે 28 જાન્યુઆરીએ પોષ પૂર્ણિમાથી ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ તટ પર કલ્પવાસ શરૂ થશે.
Paush Purnima 2021: તમામ મુશ્કેલીઓ અને અવ્યવસ્થાની વચ્ચે 28 જાન્યુઆરીએ પોષ પૂર્ણિમાથી ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ તટ પર કલ્પવાસ શરૂ થશે. માહ મેળાના બીજા પર પર ગુરુ પુણ્ય યોગ પર લાખો શ્રધ્ધાળુઓ ડુબકી લગાવીને પુણ્યનું ભાથુ બાંધશે. વૈશ્વિક મહામારી વચ્ચે પણ લોકો પોતાના દીર્ઘ આયુષ્ય અને તમામ મુશ્કેલીઓના બંધનમાંથી મુક્ત થવા માટેની કામના કરશે. પૌરાણિક માન્યતા મુજબ પ્રયાગમાં કલ્પવાસ કરવાથી સ્વર્ગના દ્વાર ખૂલી જાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર તીર્થ પ્રયાગના સંગમ તટ પર માહ મહિનામાં એક કલ્પવાસ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.
28 January 2021 : Paush Purnima પોષ પૂર્ણિમા પર સ્નાન મુહૂર્ત વિદ્વાન જ્યોતિષીઓ અનુસાર પૂર્ણિમા 27 January બુધવારની રાતે 12:32 થી શરૂ થઈ જાય છે. અને 28 જાન્યુઆરી રાત 12:32 વાગ્યા સુધી રહશે. એટલા માટે થઈને બ્રહ્મા મુહૂર્તમાં જ સ્નાન-દાન શરૂ થઈ જશે.
પોષ પૂર્ણિમા પર ગુરુ પુણ્યનો યોગ
જ્યોતિષાચાર્ય મુજબ ગુરુ પુણ્ય યોગ, પ્રીતિ યોગ, શુભ યોગ અને સ્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત યોગ, પૂર્ણિમા પર બની રહ્યા છે. શુભ ફળના યોગથી તમામ કાર્યો સિદ્ધ થવાની શક્યતાઓ છે.
સાત્વિક જીવન શૈલી ઇમ્યુનિટી વધારવા સહાયકરૂપ બનશે જ્યોતિષીઓના અનુસાર એક મહિનો ચાલનારા કલ્પવાસથી વ્યક્તિના દિલ દિમાગ ઉપર પણ પ્રભાવ પાડે છે. જેનાથી વ્યક્તિને સકારત્મક ઉર્જા મળે છે, જેથી તેનું સ્વાસ્થય પણ સારું રહે છે. આ કલ્પવાસમાં વ્યક્તિને સમાજિક માન-પાન પણ મળે છે જેનાથી ઓળખાનો થવાથી પારિવારિક વાતાવરણ પણ બને છે.