Paush Month 2021: પોષ મહિનામાં ભગવાન સૂર્યદેવને આ રીતે કરો પ્રસન્ન, જાણો સમગ્ર પૂજા વિધિ
હિંદુ કેલેન્ડર મુજબ વર્ષના દસમા મહિનાને પોષ મહિનો કહેવામાં આવે છે. માગશર માસ (Margashirsha Month) પછી પોષ માસ (Paush Month)નો પ્રારંભ થાય. 20મી ડિસેમ્બર, 2021થી પૌષ મહિનો શરૂ થયો છે, જે 17મી જાન્યુઆરી, 2022ના રોજ સમાપ્ત થાય છે.
Paush Month 2021: સનાતન ધર્મના વિક્રમ સંવતમાં પોષ એ દસમો મહિનો છે, તેની સાથે જ હિન્દુ ધર્મમાં આ મહિનાનું વિશેષ મહત્વ છે. આ મહિનામાં વિશેષ પૂજા કરવામાં આવે છે. પોષ મહિનાની પૂર્ણિમાના દિવસે ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં રહે છે, તેથી આ મહિનાને પોષ મહિનો કહેવામાં આવે છે.
વર્ષ 2021માં 20મી ડિસેમ્બરથી પોષ માસ શરૂ થઈ રહ્યો છે. નવા વર્ષ 2022માં મહિનો 17 જાન્યુઆરીએ પૂરો થવાનો છે. આ આખા મહિનામાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. આ મહિનામાં સૂર્યદેવની પૂજા (Surya Dev Puja) કરવાથી તેમના આશીર્વાદ મળે છે.
સૂર્યને પાણી આપવું શ્રેષ્ઠ છે
પોષ મહિનામાં સૂર્યદેવની પૂજા વિશેષ ફળ આપે છે. જો તમે નિયમિત રીતે સૂર્યને જળ ચડાવો છો તો જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. તાંબાના વાસણમાં દરરોજ ઉગતા સૂર્યને પાણી આપવું જોઈએ. પૌરાણિક ગ્રંથો મુજબ સૂર્યને ભગ નામથી પણ ઓળખવામાં આવે છે. સૂર્યનું ભગ નામ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે પોષ મહિનામાં કોઈપણ એક રવિવારે વ્રત રાખવામાં આવે અને તલ અને ખીચડી ભોગ કરવામાં આવે તો ભગવાન તેની બધી મુશ્કેલીઓ દૂર કરે છે.
પાણી ચઢાવવાનું મહત્વ
પોષ મહિનામાં દરરોજ સૂર્યને અર્ઘ્ય ચઢાવવાથી વ્યક્તિનું શરીર સૂર્યના કિરણોના સંપર્કમાં આવે છે. જેના કારણે ચામડીના રોગો ઓછા થાય છે. જો શરીરના કોઈ ખાસ સ્થાનમાં દુખાવો થતો હોય તો સૂર્યને જળ ચઢાવી તેને દરરોજ લગાવો, ભગવાન સૂર્ય તેના પર કૃપા કરશે.
આ રીતે કરો સૂર્યની પૂજા
સૂર્યની પૂજા કરવા માટે દરરોજ સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરો. આ પછી ઉગતા સૂર્યને દર્શન કરતી વખતે ॐघृणि सूर्याय नम: બોલીને ભગવાનને જળ અર્પણ કરો. સૂર્યને જે જળ ચઢાવવામાં આવે છે તેમાં લાલ રોલી, લાલ ફૂલ નાખીને જળ ચઢાવો. સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યા પછી લાલ આસન પર બેસીને પૂર્વ દિશા તરફ મુખ કરીને ઓછામાં ઓછા 108 વાર સૂર્યના મંત્રનો જાપ કરો.
આ મહિને આટલી સાવધાની રાખો
આ મહિનામાં ડ્રાયફ્રૂટ્સનું સેવન ન કરવું જોઈએ. આ સિવાય ખાંડને બદલે ગોળનું સેવન કરવું ફાયદાકારક છે. જો તમે આ મહિનામાં આદુ અને લવિંગનું સેવન કરો છો તો તેનાથી તમને ઘણો ફાયદો થશે. ભોજનમાં મીઠું ઓછું લેવું જોઈએ.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Safala Ekadashi 2021: સફલા એકાદશીએ સરળ ઉપાયથી બનાવો આપના કામને સફળ