બુધવારે એક ઉપાયથી દૂર થશે નાણાની તંગી, અત્યારે જ જાણી લો ગજાનનને પ્રસન્ન કરવાની વિધિ

ભગવાન શ્રીગણેશ તો રિદ્ધિ સિદ્ધિના દાતા છે એટલે કે તે વ્યક્તિને શુભ આશિષ પ્રદાન કરનારા છે. બુધવારે એક સરળ ઉપાયથી આપના જીવનમાંથી દૂર થઈ શકે છે નાણાની તંગી. એક સરળ ઉપાયથી દૂર થશે સઘળી પરેશાની.

બુધવારે એક ઉપાયથી  દૂર થશે નાણાની તંગી, અત્યારે જ જાણી લો ગજાનનને પ્રસન્ન કરવાની વિધિ
GANESHA
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jun 15, 2022 | 6:33 AM

ભગવાન ગણેશને સુખકર્તા અને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. શ્રી ગણેશ તો સુખી જીવનના આશિષ પ્રદાન કરનારા છે. કહે છે કે જે વ્યક્તિ પર ગજાનનની કૃપા વરસે છે તેના જીવનની દરેક સમસ્યા ગજાનન દૂર કરી દે છે. ભગવાન શ્રીગણેશ પોતે રિદ્ધિ સિદ્ધિના દાતા છે એટલે કે તે વ્યક્તિને શુભ આશિષ પ્રદાન કરનારા છે. અને દરેક સમસ્યા જેમકે, શારિરીક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા, માનસિક તણાવ, આર્થિક કે સામાજીક સમસ્યાને દૂર કરનારા છે શ્રીગણેશ. કહેવાય છે કે બુધવારે ગણપતિની પૂજા વિશેષ ફળદાયી રહે છે. ત્યારે આવો આજે આ લેખમાં જાણીએ કે બુધવારે ગજાનનને કેવી રીતે કરશો પ્રસન્ન અને જીવનમાં આવતી સમસ્યાઓના છૂટકારા માટે તથા ગજાનની કૃપા માટે કયા અજમાવશો ઉપાય.

બુધવારે ભગવાન શ્રીગણેશની પૂજા દરમિયાન તેમને સિંદૂર અચૂક ચડાવવું જોઈએ, સિંદૂર ચડાવવાથી વ્યક્તિના જીવનની દરેક મુશ્કેલીઓ દૂર થતી હોવાની માન્યતા છે. શક્ય હોય તો ગણેશજીના મંદિરે જઈ દર્શન કરવાનો નિયમ લેવો જોઈએ.

આપ બુધવારે ગાયને લીલોતરી ઘાસ ખવડાવી શકો છો, તેનાથી ગજાનન પ્રસન્ન થતા હોવાની માન્યતા છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

માન્યતા છે કે જો બુધવારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવામાં આવે તો પણ વિશેષ લાભદાયી રહે છે.  ઘરની પારિવારિક સમસ્યાઓ તેનાથી દૂર થતી હોવાની માન્યતા છે.  કહે છે કે તેનાથી ઘરમાં કલેશ દૂર થાય છે.

જો ઘરમાં નાણાકીય પ્રશ્નો રહે છે બુધવારે ભગવાન ગણેશને ઘી અને ગોળ ચડાવવા જોઈએ અને તેને ગાયને પણ ખવડાવવો, તેનથી પૈસા સંબંધિત મુશ્કેલીઓથી છૂટકારો મળે છે અને તમારા જીવનમાંથી આર્થિક પ્રશ્નો દૂર થશે.

તમારા પૂજાઘરમાં, મંદિરમાં ગજાનની મૂર્તિ તો અચૂક હશે, પણ કહેવાય છે કે જો ગજાનન ગણેશની મૂર્તિને ઘરના મુખ્ય દરવાજા પર બિરાજમાન કરવામાં આવે તો તે ઘરમાં સુખ અને સમૃદ્ધિને તો લાવે જ છે સાથે જ ઘરમાં નકારાત્મક ઉર્જાને પ્રવેશતા પણ રોકે છે. અને ઘરમાં સકારાત્મક ઉર્જા રહેવાથી ઘરમાંથી બીમારી ઓછી થાય છે અને પરિવારના સદસ્યોનું સ્વાસ્થ્ય સારૂં રહે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">