ઘરમાં ક્યારેય ખાલી હાથે પ્રવેશવાની ન કરશો ભૂલ ! નસીબ ચમકાવવા આ નાની વાતોનું રાખી લો ધ્યાન

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં દોડતા અશ્વ કે સૂર્યોદયનું ચિત્ર લગાવવું ખૂબ શુભ માનવામાં આવે છે. પરંતુ, એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ દોડતા અશ્વો બહારની તરફથી અંદર પ્રવેશતા હોવા જોઇએ. આ કાર્ય કરવાથી આપનું સૂતેલું ભાગ્ય જાગી જશે.

ઘરમાં ક્યારેય ખાલી હાથે પ્રવેશવાની ન કરશો ભૂલ ! નસીબ ચમકાવવા આ નાની વાતોનું રાખી લો ધ્યાન
Ved pathan (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: May 05, 2022 | 8:28 AM

કેટલીકવાર લોકોની સાથે એવું પણ બનતું હોય છે કે, તનતોડ મહેનત કરવા છતાં તેમને કાર્યમાં સફળતા મળતી જ નથી. તો બીજી તરફ કેટલાંક એવાં લોકો પણ હોય છે, કે જે થોડી મહેનત કરીને પણ વધુ સફળતા પ્રાપ્ત કરી લેતા હોય છે. આવા સંજોગોમાં સફળતા ન મેળવનારા લોકો ખૂબ જ હતાશા અનુભવતા હોય છે. પરંતુ, આજે અમારે આપને કેટલાંક એવાં ઉપાયો જણાવવા છે કે જે તમારા સૂતેલા ભાગ્યને જગાડશે. તો ચાલો જાણીએ એ સરળ જ્યોતિષ ઉપાયો કે જે તમારા નસીબને ચમકાવી દેશે.

પક્ષીઓને ચણ નાંખવું

આપના ભાગ્યનો ઉદય કરવા માટે આ કાર્ય ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. આના માટે આપે ઘરની બહાર કોઇ માટીના પાત્રમાં પક્ષીઓ માટે પાણી ભરી રાખવું. તેમજ તેમને નિત્ય ચણ નાંખવું જોઈએ.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

શનિયંત્ર પાસે રાખવું

કહે છે કે શનિદેવ જ્યારે નારાજ થઇ જાય છે, ત્યારે વ્યક્તિના કોઈપણ પ્રકારના કાર્ય બગડવા લાગે છે. આ પરિસ્થિતિમાં શનિદેવની કૃપા મેળવવા માટે આપે શનિદેવનું યંત્ર પર્સમાં રાખવું જોઇએ. આ ઉપાયથી ન માત્ર તમારા ઉપરથી નકારાત્મક ઊર્જા દૂર થશે. પણ, સાથે જ તમારા બગડેલા કાર્યો સુધરવા લાગશે.

અશ્વનું ચિત્ર લગાવો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપના ઘરમાં દોડતા અશ્વ કે સૂર્યોદયનું ચિત્ર લગાવવું ખૂબ શુભદાયી સાબિત થાય છે. પરંતુ આ વાત ધ્યાનમાં રાખવી કે ચિત્રમાં અશ્વ બહરથી અંદરની તરફ આવતા હોવા જોઇએ. જેથી તમારું સૂતેલું ભાગ્ય જાગે.

ખાલી હાથે ઘરમાં ન પ્રવેશો !

જ્યારે પણ તમે બાહરથી પોતાના ઘરે જાવ ત્યારે ખાલી હાથે પ્રવેશ ન કરવો. યાદ રાખવું કે બહારથી ઘરમાં આવતી વખતે કંઇક ને કંઇક તો હાથમાં જરૂરથી રાખવું. પછી ભલે તે રૂમાલ હોય કે ઝાડનું પાન જ કેમ ન હોય.

સુંદરકાંડનો પાઠ

મંગળ ગ્રહને ખુશ કરવા માટે અને પોતાના કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે દર મંગળવારે કોઇ શ્રમિકને મીઠાઇ કે મીઠી વસ્તુ ખવડાવવી. આપ લાલ મસૂરનું પણ દાન કરી શકો છો. સાથે જ સુંદરકાંડનો પાઠ પણ કરવો જોઇએ.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">