આ આઠ આદતોને કારણે માતા લક્ષ્મી થઈ જાય છે નારાજ, પળવારમાં જ માનવી થઈ જાય છે કંગાળ

માન્યતા છે કે જ્યાં સાફ સફાઈ હોય છે ત્યાં જ માતા લક્ષ્મીનો વાસ હોય છે. જો તમે પૈસાના પ્રવાહને તમારા ઘરમાં રાખવા માંગતા હો, તો તમારે હંમેશા મુખ્ય દરવાજો ચોખ્ખો રાખવો જોઈએ.

આ આઠ આદતોને કારણે માતા લક્ષ્મી થઈ જાય છે નારાજ, પળવારમાં જ માનવી થઈ જાય છે કંગાળ
માન્યતા છે કે જ્યાં સાફ સફાઈ હોય છે ત્યાં જ માતા લક્ષ્મીનો વાસ હોય છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 9:42 AM

જીવનમાં બધી ખુશીઓ, સુખ-સુવિધાઓ મેળવવા માટે, માતા લક્ષ્મી (Goddess Laxmi) ના આશીર્વાદ ખૂબ જ જરૂરી હોય છે. આ જ કારણ છે કે દરેક વ્યક્તિ ધનની દેવીના આશીર્વાદ મેળવવા માટે રાત-દિવસ મહેનત કરે છે, પરંતુ કેટલીક વાર આપણે જાણીએ છીએ કે અજાણતાં કેટલીક ભૂલો કરીએ છીએ, જેના કારણે માતા લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે. પછી તમારું ઘર છોડી જાય છે.

ઘર સાથે સંબંધિત વાસ્તુ (Vastu) ખામી કોઈ પણ ઘરમાંથી ધનની દેવીના વિદાયનું મોટું કારણ બની જાય છે, પરંતુ આપણી રોજિંદા જીવનને લગતી કેટલીક આદતો પણ આ માટે જવાબદાર છે. ચાલો જાણીએ તે મોટી ભૂલો વિશે, જેના કારણે માતા લક્ષ્મીની કૃપા ઘણી વાર દૂર થઈ જાય છે.

1. માતા લક્ષ્મી તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વારથી આવે છે. આવી સ્થિતિમાં, તમારે સૌ પ્રથમ તમારા મુખ્ય દરવાજાથી સંબંધિત વાસ્તુ ખામી શોધી કાઢવી જોઈએ અને તેને તરત જ દૂર કરવી જોઈએ. જો તમે પૈસાના પ્રવાહને તમારા ઘરમાં રાખવા માંગતા હો, તો તમારે હંમેશા મુખ્ય દરવાજો ચોખ્ખો રાખવો જોઈએ. જો મુખ્ય દરવાજો તૂટી ગયો હોય, તો તરત જ તેનું સમારકામ કરાવવું જોઈએ.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

2. માન્યતા છે કે જ્યાં સાફ સફાઈ હોય છે ત્યાં જ માતા લક્ષ્મીનો વાસ હોય છે. કહેવાય છે કે જે ઘરમાં સૂર્યોદય પહેલા સાફ સફાઈ થઈ જાય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને જે ઘરમાં સાંજે કચરા-પોતા થાય છે ત્યથી માતા લક્ષ્મી નારાજ થઈને ચાલ્યા જાય છે.

3. અગર જો તમે ઈચ્છો છો કે તમારે માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં કાયમ રાખવો છે તો તમારે માતાજીની પૂરા વિધિ-વિધિથી પુજા અર્ચના કરવી જોઈએ, જેના માટે યોગ્ય પૂજા સ્થળ અને યોગ્ય દિશાની પસંદગી કરવી ખૂબજ મહત્વ પૂર્ણ છે.

કમળ પર બિરાજમાન માતા લક્ષ્મીની ફોટો અથવા પ્રતિમાને ઇશાન ખૂણામાં લગાવો અને હંમેશા પૂર્વ દિશા તરફ મોઢું કરીને જ પૂજા કરો. જે ઘરમાં મંદિરની શુધ્ધતા અને પવિત્રતાનું ધ્યાન નથી રાખવામા આવતું તેવા ઘરમાં દેવી-દેવતાઓનો વાસ નથી રહેતો અને માતા લક્ષ્મી પણ નારાજ થઈ ચાલ્યા જાય છે.

4. જો તમે પણ ઇચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તો ઘરની સાવરણીને ક્યારેય પગના લગાડવો જોઈએ અને બાહરથી આવતા લોકોને ધ્યાનમાં ન આવે તે રીતે રાખવી જોઈએ.

5 જે ઘરની અંદર અન્નનું અપમાન થાય છે, વગર કારણે જમવાનો બગાડ થાય છે તે ઘરમાં પણ લક્ષ્મીજીનો વાસ રહેતો નથી.

6 જો ખરેખર તમારે માતા લક્ષ્મીની કૃપા તમારા પર કાયમ રાખવી છે તો ક્યારેય બેડ પર બેસીને ભોજન ન કરવું જોઈએ અને ક્યારેય રાત્રે વાળ કે નખ ન કાપવા જોઈએ.

7 માતા લક્ષ્મીની પૂજામાં ક્યારેય સફેદ ફૂલ અર્પણ ન કરવા જોઈએ કારણ કે તેની પૂજામાં સફેદ ફૂલ અર્પણ કરવા વર્જિત છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે હંમેશા કમળ અથવા તો લાલ ગુલાબ જેવા લાલ ફૂલ જ ચડાવવા જોઈએ.

8 જો તમે પૂજા ઘરને સીડી નીચે, કે ટોઇલેટની બાજુમાં બનાવડાવ્યું છે તો નિશ્ચિતરૂપે માતા લક્ષ્મી નારાજ થશે અને આપના પર તેની કૃપા મેળવવી ઘણી મુશ્કિલ બની જશે.

નોંધ: આ લેખ ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ ને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે કે જેનો કોઈ જ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ  વાંચો:  BHUJ : 24 કરોડના ખર્ચે બનેલો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ હાલતમાં, વિપક્ષે કર્યા પ્રહારો

આ પણ વાંચો:  International Tiger Day: શું તમે ઘરમાં પાળી શકો વાઘ ? જાણો શું કહે છે કાયદો?

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">