કમળગટ્ટાની માળાથી કરેલ મંત્રજાપ અપાવશે અખૂટ ધન-ધાન્યના આશીર્વાદ

જીવનમાં આવી રહેલી તમામ મુસીબતો અને સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. ભગવાન જ માણસને મુસીબતોમાંથી તારી શકે છે. પૂજાપાઠ, વ્રત જેવા કાર્યો કરવાથી આ મુસીબતોનો સમય પણ નીકળી જાય છે. પરંતુ, આ બધા સાથે જ કેટલાંક જ્યોતિષ ઉપાયો અજમાવવાથી આપનું જીવન સુખદાયી બની શકે છે.

કમળગટ્ટાની માળાથી કરેલ મંત્રજાપ અપાવશે અખૂટ ધન-ધાન્યના આશીર્વાદ
Mala Jaap (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: May 04, 2022 | 6:49 AM

જીવનમાં આવી રહેલી તમામ મુસીબતો અને સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. ભગવાન જ માણસને મુસીબતોમાંથી તારી શકે છે. જો તમારા ગ્રહ નક્ષત્ર તમારી તરફેણમાં ન હોય તો મહેનત કરવા છતાં તમને સફળતા પ્રાપ્ત નથી થતી.તો આવામાં જ્યોતિષના કેટલાક વિશેષ ઉપાયો દર્શાવ્યા છે.જેને અજમાવવાથી ધન-ધાન્યની વૃદ્ધિ થવાની માન્યતા છે. પૂજાપાઠ, વ્રત જેવા કાર્યો કરવાથી આ મુસીબતોનો સમય પણ નીકળી જાય છે. પરંતુ, આ બધા સાથે જ કેટલાંક જ્યોતિષ ઉપાયો અજમાવવાથી આપનું જીવન સુખદાયી બની શકે છે. તો ચાલો, આ સરળ ઉપાયો પર નજર કરીએ.

દરેક વ્યક્તિ એવું ઇચ્છતો હોય કે તેના જીવનમાં ધન-ધાન્યની અછત ન રહે. કારણ કે આજના સમયમાં નાની મોટી જરૂરિયાતો પૂર્ણ કરવા માટે ધનની આવશ્યકતા રહેતી હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધનની પ્રાપ્તિ અર્થે ખૂબ જ મહેનત કરવાની સાથે સાથે ભાગ્ય પણ સાથ આપવું જોઇએ. જો તમારા ગ્રહ નક્ષત્ર તમારી સાથે ન હોય તો મહેનત કરવા છતા આપને ધારી સફળતા પ્રાપ્ત નથી થતી.તો આવા સમયે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયો દર્શાવ્યા છે તેના વિશે વાત કરીએ. આ ઉપાયો અજમાવવાથી આપના ધન-ધાન્યમાં વૃદ્ધિની માન્યતા છે.

મંત્ર જાપ 

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

લક્ષ્મીમાતાની પૂજા કરવાથી ધન-ધાન્યમાં વૃદ્ધિની માન્યાત રહેલી છે. માતા લક્ષ્મીના કોઇપણ સરળ મંત્રનો જાપ બુધવાર કે શુક્રવારથી શરૂ કરીને આ મંત્રની એક માળા નિત્ય કરવી. તેમજ ધ્યાન એ રાખવું કે આ મંત્રજાપ માત્ર કમળગટ્ટાની માળાથી જ કરવા.

વિષ્ણુપૂજન

વિષ્ણુસહસ્ત્રનામ તથા શ્રી સૂક્તનો નિયમિત પાઠ કરવાથી ઘર પરિવારમાં ધન ધાન્યની ક્યારેય અછત રહેતી નથી.

લક્ષ્મી પૂજન

શક્રવારના દિવસે માતા લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરવી જોઇએ. તેમને હળદર-કુમકુમનું તિલક કરીને ગુલાબનું પુષ્પ અર્પણ કરવું જોઇએ અને દૂધ તેમજ ગોળમાંથી બનેલી મિઠાઇનો ભોગ અર્પણ કરવો જોઇએ. માતાને આપના સુખ-સમૃદ્ધિની કામના કરવી જોઇએ તેનાથી માતા પ્રસન્ન થઇ તેમની કૃપા સદૈવ આપની પર રાખે છે.

ઉત્તર દિશા ધનની દિશા

ઘરની ઉત્તર દિશાને ધનની દિશા માનવામાં આવે છે.આ દિશામાં ઘરની તિજોરી કે ધન રાખવું ખૂબ શુભ ફળ આપે છે.ઉત્તર દિશામાં કુબેર યંત્ર, માતા લક્ષ્મી અને કુબેરદેવતાની પ્રતિમા કે ચિત્ર રાખવાથી ધનમાં વૃદ્ધિ થવાની માન્યતા છે.

દાન-પુણ્ય

જરૂરિયાતમંદોને સહાયતા કરવી જોઇએ. દાન-પુણ્ય કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.

ઘરની સાફ-સફાઇ

ઘરની સાફ-સફાઇ પર વિશેષ ધ્યાન રાખવું જોઇએ. કહેવાય છે કે જે ઘરમાં નિત્ય સાફ સફાઇ થતી હોય થે ત્યાં મા લક્ષ્મીનો હંમેશા વાસ રહે છે.

ઘર મંદિર

ઘરના મંદિરમાં સવાર સાંજે ઘીનો દીવો પ્રજવલિત કરીને મા લક્ષ્મીની આરતી જરૂરથી કરવી. સાથે જ શંખ પણ વગાડવો જોઇએ. માન્યતા તો એવી પણ છે કે જે ઘરમાં નિત્ય શંખ વાગે છે ત્યાં હંમેશા સકારાત્મક ઊર્જાનો વાસ રહે છે. જે ઘર-પરિવારમાં લોકોની પ્રગતિ કરવાની માર્ગ ખોલે છે.

શનિદેવ-હનુમાનજીની આરાધના

શનિવારના દિવસે શનિદેવની વિશેષ આરાધના કરવી જોઇએ. શનિ ચાલીસા અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઇએ. શનિગ્રહ જો મજબૂત હોય તો વ્યક્તિની ખૂબ જ પ્રગતિ થાય છે.

તુલસીક્યારો

ઘરમાં તુલસીનો ક્યારો અવશ્ય રાખવો જોઇએ. નિત્ય સાંજે તેમાં ઘીનો દીવો પ્રજવલિત કરવો જોઇએ. માન્યતા તો એવી છે કે જે ઘરમાં તુલસનો ક્યારો હોય છે તે ઘરમાં હંમેશા ધન-ધાન્યના અખૂટ ભંડાર ભરેલા રહે છે.

શમીની વૃક્ષ

ઘર આંગણામાં શમીનું ઝાડ રાખવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે શમીના ઝાડને કારણે આપની તરફ ધન આકર્ષિત થાય છે. આ ઝાડની સારસંભાળ રાખવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : અહીં સાક્ષાત કાળ બનીને શ્રીરામે કર્યો હતો અસુરોનો સંહાર ! જાણો, નાસિકના કાલારામનો મહિમા

આ પણ વાંચો : સમસ્યા અનેક, નિવારણ માત્ર એક ! અત્યંત ફળદાયી આદિત્ય હૃદયમ્ સ્તોત્ર !

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">