Maagh Shraaddh 2021: શ્રાદ્ધની તિથિ, સમય, મહત્વ અને પૂજાની વિધિ વિશે જાણો
મત્સ્ય પુરાણમાં માઘ શ્રાદ્ધનો ઉલ્લેખ જોવા મળે છે. આ શુભ દિવસ પિતૃ પક્ષ દરમિયાન ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસને કથાઓ અનુસાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
હાલ પિતૃ પક્ષનો મહિનો ચાલી રહ્યો છે. લોકો આ દિવસોમાં તેમના પિતૃઓને યાદ કરે છે, તેમને પિંડ દાન કરે છે જેથી તેમની આત્માને શાંતિ મળે. આ વર્ષે 3 ઓક્ટોબર, રવિવારે માઘ શ્રાદ્ધની ઉજવણી કરવામાં આવશે. પિતૃ પક્ષ દરમિયાન આ દિવસની ઉજવણી કરવામાં આવે છે જ્યારે બપોરના સમયગાળા દરમિયાન માઘ પ્રબળ હોય છે. માઘ શ્રાદ્ધ માઘ માસની ‘અમાવસ્યા’ પર ઉજવવામાં આવે છે.
આ દિવસને વધુ પવિત્ર માનવામાં આવે છે જ્યારે માઘ નક્ષત્ર સતત બે દિવસ બપોરના સમયગાળા દરમિયાન આંશિક રીતે પ્રબળ હોય છે, ત્યારબાદ જે દિવસે તે લાંબા સમય સુધી ચાલે છે તે દિવસ માનવામાં આવે છે.
હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, અપરાહ સમયગાળા દરમિયાન ‘ત્રયોદશી’ (13 મો દિવસ) તિથિ પર માઘ નક્ષત્ર પ્રભુત્વ ધરાવે છે, જેને ‘માઘ ત્રયોદશી શ્રાદ્ધ’ તરીકે ઓળખવામાં આવે છે. પરંપરાગત હિન્દુ કેલેન્ડરમાં માઘ તરીકે ઓળખાતો 11 મો મહિનો પિતુ તર્પણ, સ્નાન, દાન અને યજ્ઞ કરવા માટે અનુકૂળ માનવામાં આવે છે.
માઘ શ્રાદ્ધ 2021: તિથિ અને શુભ સમય
તારીખ: 3 ઓક્ટોબર, રવિવાર
માઘ શ્રાદ્ધની તિથિ શરૂ થાય છે- સવારે 3:35 કલાકે
માઘ શ્રાદ્ધની તિથિ સમાપ્ત થાય છે – 4 ઓક્ટોબર સવારે 3:26 કલાકે
માઘ શ્રાદ્ધ 2021: મહત્વ
મત્સ્ય પુરાણમાં માઘ શ્રાદ્ધનો ઉલ્લેખ જોવા મળે છે. આ શુભ દિવસ પિતૃ પક્ષ દરમિયાન ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસને કથાઓ અનુસાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, નક્ષત્ર માઘ પર ‘પિતૃઓ’ દ્વારા શાસન કરવામાં આવે છે. માઘ શ્રાદ્ધ પર તર્પણ વિધિ કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે. એવું કહેવામાં આવે છે કે, માઘ શ્રાદ્ધ વિધિ કર્યા પછી, પિતૃઓની આત્મા મોક્ષ અને શાંતિ પ્રાપ્ત કરી શકે છે અને તેમના આશીર્વાદ મળે છે.
માઘ શ્રાદ્ધ 2021: પૂજા વિધિ
1. આ દિવસે, ભક્તો વહેલા ઉઠે છે, પરિવારના પુરુષ સભ્યો તર્પણ સાથે શ્રાદ્ધ વિધિ કરે છે અને તેમના ‘ઈષ્ટ દેવ’ ની પૂજા કરે છે.
2. ત્યારબાદ વિધિમાં પિંડ દાન કરવામાં આવે છે.
3. પૂજાની તમામ વિધિઓ પછી, ભક્તો બ્રાહ્મણોને ભોજન કરાવે છે. ‘સાત્વિક’ ખોરાક પરિવારની મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. બ્રાહ્મણોને જમ્યા બાદ ભક્ત દ્વારા તેમને યથાશક્તિ દક્ષિણા આપવામાં આવે છે.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Sarva Pitru Amavasya 2021: સર્વ પિતૃ અમાસે ગજછાયા યોગનો શુભ સંયોગ, માત્ર 1 શ્રાદ્ધથી 12 વર્ષ સુધી પિતૃઓ રહેશે તૃપ્ત !
આ પણ વાંચો : Som Pradosh Vrat 2021: કુંડળીમાં ચંદ્રની સ્થિતિને મજબૂત કરવા માટે કરો આ ઉપાય, જાણો ક્યારે છે પ્રદોશ વ્રત