હનુમાન ચાલીસાની આ પંક્તિઓ જીવન વ્યવસ્થાપન શિખવે છે, નિયમીત પાઠથી મળે છે સફળતા

હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ન માત્ર બજરંગબલીના આશીર્વાદ મળે છે પરંતુ તેમાં જીવન જીવવાની કળા પણ છુપાયેલી છે. હનુમાન ચાલીસામાં કુલ 40 શ્લોક છે, જેમાં જીવન વ્યવસ્થાપનના સૂત્રો પણ છે.

હનુમાન ચાલીસાની આ પંક્તિઓ જીવન વ્યવસ્થાપન શિખવે છે, નિયમીત પાઠથી મળે છે સફળતા
Hanumanji
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2022 | 3:49 PM

શાસ્ત્રો અનુસાર ભગવાન હનુમાન કલયુગના દેવતા છે અને આજે પણ આ પૃથ્વી પર જાગૃત અવસ્થામાં વિરાજમાન છે. જે ભક્ત સાચા મનથી હનુમાનજીની પૂજા કરે છે, તેની પરેશાનીઓ તરત જ દૂર થઈ જાય છે. હનુમાનજીની પૂજા ખૂબ જ સરળ માનવામાં આવે છે અને તેઓ એવા દેવતા છે જે સરળતાથી પ્રસન્ન થઈ જાય છે. હિંદુ શાસ્ત્રો અનુસાર રામ ભક્ત હનુમાનજીને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય છે હનુમાન ચાલીસાનો પાઠ.

જે ભક્ત હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરે છે, તેના તમામ દુ:ખ અને પીડાઓ દૂર થઈ જાય છે અને તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ન માત્ર બજરંગબલીના આશીર્વાદ મળે છે પરંતુ તેમાં જીવન જીવવાની કળા પણ છુપાયેલી છે. હનુમાન ચાલીસાની કુલ 40 ચોપાઈઓ છે, જેમાં જીવન વ્યવસ્થાપનના સૂત્રો છે, જેને અપનાવવાથી ન માત્ર આત્મવિશ્વાસ વધે છે પરંતુ દરેક ક્ષેત્રમાં સફળતા પણ મળે છે, આવો જાણીએ હનુમાન ચાલીસાની કેટલીક ચોપાઈઓનું મહત્વ.

बिद्यावान गुनी अति चातुर,राम काज करिबे को आतुर

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

અર્થ- તમે બધા ગુણોથી સંપન્ન વિદ્વાન છો, ગુણવાનની સાથે ચતુર પણ છો. ભગવાન રામનું કાર્ય કરવા માટે તમે હંમેશા ઉત્સુક છો.

જીવન સૂત્ર– જ્ઞાનની સાથે સાથે ચારિત્ર્ય અને ગુણવત્તા પણ હોવી જોઈએ.

આધુનિક અને ટેક્નોલોજીના યુગમાં સારું શિક્ષણ મેળવવું ખૂબ જ જરૂરી છે. પરંતુ તેનો અર્થ માત્ર ડિગ્રી મેળવવાનો નથી. જ્ઞાન મેળવવાની સાથે વ્યક્તિમાં સારા ગુણો કેળવવા પણ જરૂરી છે. બુદ્ધિની સાથે સાથે ચતુરાઈથી કેવી રીતે કામ કરવું તે પણ જાણવું જોઈએ.

श्रीगुरु चरन सरोज रज,निज मनु मुकुरु सुधारि

અર્થ- આપણાં ગુરુના ચરણોની ધૂળથી આપણાં મનના દર્પણને સાફ કરું છું

જીવન સૂત્ર– હંમેશા વડીલોનું સન્માન કરો

ગુરુનું મહત્ત્વ ચાલીસાના પહેલાં દોહાની પહેલી લાઇનમાં લખવામાં આવ્યું છે. જીવનમાં ગુરુ નથી તો તમને કોઇ આગળ વધારી શકશે નહીં. ગુરુ જ તમને યોગ્ય રસ્તો બતાવી શકે છે. એટલે તુલસીદાસે લખ્યું છે કે, ગુરુના ચરણોની ધૂળથી મનના દર્પણને સાફ કરું છું. આજના સમયગાળામાં ગુરુ આપણાં મેન્ટર પણ હોઇ શકે છે અને બોસ પણ. માતા-પિતાને પહેલાં ગુરુ જ કહેવામાં આવ્યાં છે. સમજવાની વાત એ છે કે, ગુરુ એટલે પોતાનાથી મોટા વડીલોનુ સન્માન કરવું જરૂરી છે. જો ઉન્નતિની રાહ પર આગળ વધવું હોય તો વિનમ્રતા સાથે વડીલોનુ સન્માન કરો.

कंचन बरन बिराज सुबेसा,कानन कुंडल कुंचित केसा

અર્થ – તમારા શરીરનો રંગ સોનાની જેમ ચમકીલો છે. સારા વસ્ત્ર પહેરેલાં છે, કાનમાં કુંડળ ધારણ કર્યાં છે અને વાળ પણ ઓળેલાં છે.

જીવન સૂત્ર – મન સ્વચ્છ અને સાફ રાખો

આજના સમયગાળામાં તમારી ઉન્નતિ આ વાત ઉપર નિર્ભર કરે છે કે, તમે કેવા દેખાવ છો. ફર્સ્ટ ઇમ્પ્રેશન સારી હોવી જોઇએ. જો તમે ખૂબ જ ગુણવાન પણ છો પરંતુ સારી રીતે રહેતાં નથી તો આ વાત તમારા કરિયરને પ્રભાવિત કરી શકે છે. એટલ રહેણી-કરણી અને ડ્રેસઅપ હંમેશાં સારું રાખો.

प्रभु चरित सुनिबे को रसिया,राम लखन सीता मन बसिया

અર્થ –તમે રામ કથા સાંભળવા હંમેશા ઉત્સુક છો. રામ, લક્ષ્મણ અને સીતા ત્રણેય તમારા મનમાં વસે છે.

જીવન સુત્ર- હંમેશા સારા શ્રોતા બનવાનો પ્રયત્ન કરો

હનુમાન ચાલીસાની આ ચોપાઈનો જીવન સાર એ છે કે હંમેશા માત્ર બોલવાનું જ તમારું કામ ન હોવું જોઈએ, પરંતુ તમારે બીજાની વાત પણ દિલથી સાંભળવી જોઈએ. જે લોકો હંમેશા બીજાની વાત ધ્યાનથી સાંભળે છે અને પછી પોતાનો અભિપ્રાય રાખે છે, તેમનામાં નેતૃત્વની ગુણવત્તા વિકસે છે.

सूक्ष्म रूप धरि सियहिं दिखावा,बिकट रूप धरि लंक जरावा

અર્થ- તુલસીદાસજી આ ચોપાઈમાં હનુમાનજીના ગુણોનું ગુણગાન કરતા કહે છે કે ભગવાન તમે અશોક વાટિકામાં માતા સીતા સામે તમારા નાનકડા સ્વરૂપમાં પ્રગટ થયા હતા અને જ્યારે લંકા બાળવાનો સમય આવ્યો ત્યારે તમે એક વિશાળ રૂપ ધારણ કર્યું હતું.

જીવન સૂત્ર – હંમેશા વ્યવહારુ બનો

જીવનને સફળ બનાવવા માટે સંજોગો પ્રમાણે અનુકૂલન સાધવું જોઈએ. માણસે પોતાની શક્તિને ઓળખીને પરિસ્થિતિ પ્રમાણે વર્તવું જોઈએ. જેમ કે હનુમાનજીએ કર્યું, જ્યારે તેઓ સીતાજીને મળ્યા, ત્યારે તેમણે તેમની સામે એક નાનકડા વાનરનું રૂપ ધારણ કર્યું અને જ્યારે લંકા ભસ્મીભૂત થઈ, ત્યારે તેઓ વિશાળ સ્વરૂપમાં આવ્યા.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">