
pitru Paksha 2023: હિંદુ ધર્મમાં પિતૃ પક્ષનું વિશેષ મહત્વ છે. કેલેન્ડર મુજબ, પિતૃ પક્ષ દર વર્ષે ભાદરવા મહિનાની પુનમથી શરૂ થાય છે. પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે જેના કારણે પૂર્વજો પ્રસન્ન થાય છે અને પોતાના પ્રિયજનોને આશીર્વાદ આપે છે. પૂર્વજોના આશીર્વાદથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે. આ વર્ષે પિતૃ પક્ષ 29 સપ્ટેમ્બર 2023 થી શરૂ થશે અને 14 ઓક્ટોબર 2023 ના રોજ સમાપ્ત થશે. પિતૃ પક્ષ 16 દિવસ સુધી ચાલે છે જેમાં પિતૃઓનું શ્રાદ્ધ તિથિ પ્રમાણે કરવામાં આવે છે. આ દિવસે પિતૃઓનું પૂજન અને શ્રાદ્ધ કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે.
એવું પણ માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિને તેના પૂર્વજોની મૃત્યુ તિથિ યાદ ન હોય અથવા કોઈ કારણસર તે ભૂલી ગયો હોય, તો તે આસો મહિનાની અમાસના દિવસે પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ કરી શકે છે. પિતૃપક્ષની તમામ તિથિઓનું મહત્વ છે પરંતુ પિતૃપક્ષમાં નવમું શ્રાદ્ધ, ભરણી શ્રાદ્ધ અને અમાસ શ્રાદ્ધની તિથિઓ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ પણ વાંચો : Pitru Paksha 2023: જ્યારે પિતૃઓની તિથિ યાદ ન હોય તો તેમનું શ્રાદ્ધ ક્યારે અને કેવી રીતે કરવું ?
એવી ધાર્મિક માન્યતા છે કે પિતૃ પક્ષના દિવસોમાં પૂર્વજોનું સ્મરણ કરવું જોઈએ અને સંપૂર્ણ વિધિ-વિધાનથી પૂજા કરવી જોઈએ જેથી કરીને પિતૃ ખુશ થઈ જાય અને પોતાના પ્રિયજનોને સુખી જીવનનો આશીર્વાદ આપે. તેમજ પિતૃ પક્ષ દરમિયાન પવિત્ર ગ્રંથોનું વાંચન અને મંત્રોનો જાપ શુભ માનવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને તેમના આત્માની શાંતિ માટે તર્પણ અર્પણ કરવાની માન્યતા છે. એવું કહેવાય છે કે પિતૃ પક્ષના દિવસોમાં પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી મૃત્યુના દેવતા યમરાજ તમામ જીવોની આત્માઓને મુક્ત કરે છે જેથી કરીને તેઓ તેમના પરિવારો દ્વારા કરવામાં આવેલ તર્પણ સ્વીકારી શકે. પિતૃઓનું તર્પણ કરવાથી તેમને મોક્ષની પ્રાપ્તિ કરે છે. તેમજ પિતૃઓ પ્રસન્ન થઈને ઘરમાં સુખ-શાંતિનો આશીર્વાદ આપે છે.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો