Garuda Purana : મૃત્યુ બાદ મૃતદેહને એકલો ન છોડવો જોઈએ, જાણો કારણ !
સૂર્યાસ્ત બાદ અંતિમ સંસ્કાર કરવાથી મૃતકની આત્મા અધોગતિ પામે છે અને તે અસુર, દાનવ અથવા પિશાચ યોનિમાં જન્મ લે છે. પરિસ્થિતિ ગમે તે હોય, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે મૃતદેહને કોઈ પણ સંજોગોમાં ક્યારેય એકલો ન છોડવો જોઈએ.
જો પરિવારમાં કોઈનું મૃત્યુ થયું હોય અને તેના અંતિમ સંસ્કારનો અધિકાર તેના સંતાનને હોય છે. તેનાથી મૃતકની આત્માને શાંતિ મળે છે. પરંતુ જો તેના સંતાન અગ્નિસંસ્કાર કરવા માટે હાજર નથી, તો પછી મૃતદેહને તેમની રાહ જોવા માટે ઘરમાં રાખવામાં આવે છે. આ સિવાય, જો કોઈ વ્યક્તિ સૂર્યાસ્ત બાદ મૃત્યુ પામ્યો હોય, તો પણ તેના મૃતદેહને બીજા દિવસ સુધી રાખવામાં આવે છે કારણ કે ગરુડ પુરાણ સૂર્યાસ્ત બાદ અંતિમ સંસ્કાર પર પ્રતિબંધ મૂકે છે.
સૂર્યાસ્ત બાદ અંતિમ સંસ્કાર કરવાથી મૃતકની આત્મા અધોગતિ પામે છે અને તે અસુર, દાનવ અથવા પિશાચ યોનિમાં જન્મ લે છે. પરિસ્થિતિ ગમે તે હોય, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે મૃતદેહને કોઈ પણ સંજોગોમાં ક્યારેય એકલો ન છોડવો જોઈએ. કોઈએ મૃત શરીરની નજીક રહેવું પડે છે, નહીં તો ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ગરુડ પુરાણમાં પણ મૃત શરીરને એકલા ન છોડવાનું કહેવામાં આવ્યું છે અને આ માટે કેટલાક કારણો પણ આપવામાં આવ્યા છે.
1. મૃતદેહને રાત્રે એકલો છોડી દેવાથી મોટી પરેશાની થઈ શકે છે. તમામ દુષ્ટ આત્માઓ રાત દરમિયાન સક્રિય હોય છે. આ સ્થિતિમાં તેઓ મૃતકના શરીરમાં પ્રવેશી શકે છે અને પરિવારના સભ્યો માટે પણ મુશ્કેલી સર્જી શકે છે.
2. મૃત શરીરને એકલું ન છોડવું જોઈએ કારણ કે મૃત્યુ પછી મૃતકની આત્મા મૃત શરીરની આસપાસ રહે છે. તે મૃત શરીરમાં ફરી પ્રવેશ કરવા માંગે છે કારણ કે તેનું તે શરીર સાથે જોડાણ છે અને પ્રિયજનોનો પ્રેમ તે આત્મા પર પ્રભુત્વ ધરાવે છે. આ સ્થિતિમાં જ્યારે તે આત્મા લોકોને તેના મૃત શરીરને એકલા છોડી દેતી જુએ છે, ત્યારે તે દુ:ખી થાય છે.
3. જો મૃતદેહને એકલો છોડી દેવામાં આવે તો તેની આસપાસ કીડીઓ કે અન્ય જંતુઓ આવવાનો ભય રહે છે. તેથી મૃત શરીરની નજીક બેસી કોઈએ તેની કાળજી લેવી જરૂરી હોવાનું કહેવામાં આવ્યું છે.
4. રાત્રે તાંત્રિક ક્રિયાઓ પણ કરવામાં આવે છે. આ સ્થિતિમાં મૃત શરીરને એકલા છોડી દેવાથી મૃત આત્મા મુશ્કેલીમાં મુકાઈ શકે છે. તેથી જ મૃતદેહની આસપાસ કોઈક હોવું જોઈએ.
5. જો મૃતદેહને લાંબા સમય સુધી રાખવામાં આવે તો શબમાંથી નીકળતી દુર્ગંધને કારણે ઘણા પ્રકારના બેક્ટેરિયા અને માખીઓ તેના પર આવે છે. તેથી મૃત શરીરની આસપાસ કોઈએ બેસીને ધૂપ કે અગરબતી વગેરે સળગાવતા રહેવી જોઈએ.
આ પણ વાંચો : Shravan-2021: ક્યાં બિરાજમાન થયું છે દેવાધિદેવ મહાદેવનું સૌથી દુર્લભ મૂર્તિ રૂપ ? જાણો ‘સમાધિશ્વર’નું રહસ્ય
આ પણ વાંચો : Numerology : અંકોથી થાય છે લોકોના સ્વભાવની ઓળખ, જાણો 1થી 9 અંકો વિશે શું કહે છે અંકશાસ્ત્ર