Garuda Purana : ગરુડ પુરાણની આ વાતો તમારા જીવનની ખરાબ સ્થિતિમાં સુધારો કરશે
ગરુડ પુરાણ વ્યક્તિને તેના કર્મને સુધારવાનો માર્ગ બતાવે છે. તેમાં જીવનની આવી નીતિઓ અને નિયમો જણાવવામાં આવ્યા છે, જેને અનુસરીને વ્યક્તિ પોતાની તમામ મુશ્કેલીઓ દૂર કરી શકે છે.
સામાન્ય રીતે ગરુડ પુરાણના (Garuda Purana) પાઠ કોઈના મૃત્યુ બાદ કરાવવામાં આવે છે. લોકોને સ્વર્ગ અને નર્ક વિશે કહેવામાં આવે છે, જેમાં તમામ સુખ અને પીડાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે જે વ્યક્તિને મૃત્યુ બાદ તેના કર્મોના આધારે મળશે. આ સાથે વ્યક્તિ જીવનમાં ધર્મ પૂર્ણ કાર્ય કરવા પ્રેરાય છે.
ગરુડ પુરાણ વ્યક્તિને તેના કર્મને સુધારવાનો માર્ગ બતાવે છે. તેમાં જીવનની આવી નીતિઓ અને નિયમો જણાવવામાં આવ્યા છે, જેને અનુસરીને વ્યક્તિ પોતાની તમામ મુશ્કેલીઓ દૂર કરી શકે છે. આ પુરાણ ભગવાન વિષ્ણુની (Lord Vishnu) ભક્તિ અને જ્ઞાન પર આધારિત છે. દરેક વ્યક્તિએ તેને વાંચવું જોઈએ અને તેમાંથી શીખવું જોઈએ અને તેમના જીવનમાં સુધારો કરવો જોઈએ. અહીં જાણો ગરુડ પુરાણમાં લખેલી આ વાત જે તમને તમામ મુશ્કેલીઓથી બચાવી શકે છે.
1. એકાદશી વ્રતનો મહિમા ગરુડ પુરાણમાં વ્યક્તિના જીવનને સુંદર બનાવવા માટે કહેવામાં આવ્યું છે. જો આ વ્રત સંપૂર્ણ નિષ્ઠા, ભક્તિ અને નિયમ સાથે કરવામાં આવે તો તે ચોક્કસપણે પરિણામ આપે છે. વ્રત રાખનાર વ્યક્તિ તમામ મુશ્કેલીઓથી બચી જાય છે, તેને જીવનના તમામ સુખ મળે છે અને અંતે તે મોક્ષના માર્ગ પર આગળ વધે છે.
2. ગરુડ પુરાણ મુજબ જે લોકો ગંદા કપડા પહેરે છે તેમનું સૌભાગ્ય નાશ પામે છે. આવા ઘરમાં લક્ષ્મી ક્યારેય આવતી નથી અને હંમેશા દરિદ્રતાનો વાસ રહે છે. તેથી હંમેશા સ્વચ્છ અને સારા કપડાં પહેરો.
3. દુશ્મનો સામે લડવા માટે તકેદારી અને ચતુરાઈનો આશરો લેવો જોઈએ. દુશ્મનો સતત આપણને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. જો તમે હોશિયારીથી કામ નહી કરો તો તમને નુકશાન થશે. તેથી, તમારા દુશ્મનની બુદ્ધિ અનુસાર નીતિ બનાવો અને તેને નિયંત્રણમાં રાખો.
4. તુલસીનો મહિમા વર્ણવતા ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, તુલસીને ઘરમાં રાખવા અને દરરોજ તેનું સેવન કરવાથી તમામ પ્રકારના રોગોથી મુક્તિ મળે છે. તેમાં નિયમિત પાણી અર્પણ કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. ભગવાનના પ્રસાદ તરીકે તુલસીનું સેવન કરવાથી શારીરિક અને માનસિક વિકારો દૂર થાય છે.
5. જે કોઈ વ્યક્તિ દેવી, દેવતા અથવા ધર્મનું અપમાન કરે છે તેને જીવનમાં એક દિવસ પસ્તાવો કરવો પડે છે અને તે નર્કમાં જાય છે. જે લોકો પવિત્ર સ્થળોએ ખરાબ કર્મ કરે છે, ભોળા લોકોને છેતરતા હોય છે, ધર્મ, વેદ, પુરાણો અને શાસ્ત્રોના અસ્તિત્વ પર સવાલ ઉઠાવે છે તેમને નર્કથી કોઈ બચાવી શકતું નથી.
આ પણ વાંચો : Bhakti : આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ છે ઊંધી ! ઊંધા હનુમાનજી લાવશે સીધા પરિણામ
આ પણ વાંચો : BHAKTI:શું તમે કરો છો શનિદેવના આ દસ નામનો જાપ ? જાપ માત્રથી શનિદેવ હરશે સઘળા સંતાપ !