શું તમને ખબર છે કે, ભારતમાં Shivlingના પણ રંગ બદલાઈ છે ? જાણો સમગ્ર વિગત
ભગવાન શિવની લીલા છે જ્યાં બધા દેવી-દેવતાની પૂજા કરવામાં આવે છે. તો મહાદેવનું નિર્વિકાર, નિરાકાર અને ઓંકાર સ્વરૂપ હોય છે જેની લિંગના રૂપમાં પૂજા કરવામાં આવે છે. પરંતુ શિવલીલા અહીં સમાપ્ત નથી થઇ જતી. ભારતમાં ઘણા એવા શિવલિંગ (Shivling) હોય છે જેને ચમત્કારિક માનવામાં આવે છે.
ભગવાન શિવની લીલા છે જ્યાં બધા દેવી-દેવતાની પૂજા કરવામાં આવે છે. તો મહાદેવનું નિર્વિકાર, નિરાકાર અને ઓંકાર સ્વરૂપ હોય છે જેની લિંગના રૂપમાં પૂજા કરવામાં આવે છે. પરંતુ શિવલીલા અહીં સમાપ્ત નથી થઇ જતી. ભારતમાં ઘણા એવા શિવલિંગ (Shivling) હોય છે જેને ચમત્કારિક માનવામાં આવે છે. ભારતમાં ભગવન શિવના ઘણા એવા મંદિર છે જે કોઈને કોઈ ચમત્કાર માટે માનવામાં આવે છે. ભગવાન શિવના આ જ ચમત્કાર જોવા માટે ભક્તો અહીં આવે છે. આવો જાણીએ એ શિવલિંગ વિષે જે રંગ બદલે છે.
ઉત્તરપ્રદેશનું લિલોટીનાથ શિવ મંદિર:
આ લિલોટીનાથ શિવ મંદિર ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં બિરાજમાન છે. એવું માનવામાં આવે છે કે આ શિવ મંદિરની સ્થાપના મહાભારત સમયગાળા દરમિયાન ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાએ કરી હતી. આ શિવલિંગના રંગમાં પણ દિવસમાં ત્રણ વખત બદલાવ આવે છે. આ અંતર્ગત સવારે શિવલિંગનો રંગ કાળો છે, બપોર પછી બ્રાઉન અને શિવલિંગનો રંગ રાત્રે આછો સફેદ થાય છે. આ મંદિર વિશે એવી માન્યતા પણ છે કે અશ્વત્થામા અને અલ્હા-ઉદલ મધ્યરાત્રિ દરમિયાન પણ આ મંદિરમાં પૂજા કરવા આવે છે અને જ્યારે તેઓ આવે છે ત્યારે અચાનક વીજળીનો વરસાદ શરૂ થાય છે. કોઈ પણ ઋતુમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ ચાલુ થઇ જાય છે.
રાજસ્થાનનું અચલેશ્વર મંદિર:
આ અચલેશ્વર મહાદેવ મંદિર રાજસ્થાનના ધૌલપુરમાં આવેલુ છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરનું શિવલિંગ દિવસમાં ત્રણ વખત તેનો રંગ બદલી નાખે છે. જે અંતર્ગત સવારે શિવલિંગનો રંગ લાલ થાય છે, બપોરે કેસરી અને સાંજે શિવલિંગ શ્યામ રંગનું બની જાય છે. આ મંદિરના શિવલિંગનો રંગ બદલવો એ આજે પણ એક કોયડો છે.
ઉત્તર પ્રદેશનું નર્મદેશ્વર મહાદેવ મંદિર:
નર્મદેશ્વર મહાદેવનું આ મંદિર ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં આવેલું છે. માનવામાં આવે છે કે આ મંદિરનું શિવલિંગ પણ તેનો રંગ બદલે છે. આ મંદિરની એક વિશેષ સુવિધા એ છે કે આ મંદિર ભારતનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં દેડકાની પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં ભગવાન શિવ દેડકાની ઉપર બિરાજમાન છે.
ઉત્તર પ્રદેશનું કલેશ્વર મહાદેવ મંદિર:
આ કલેશ્વર મહાદેવ મંદિર યુપીની ઘાટમપુર તહસીલમાં આવેલું છે. માનવામાં આવે છે કે આ મંદિરનું શિવલિંગ સૂર્યની કિરણોથી ત્રણ વખત તેનો રંગ બદલી નાખે છે.
બિહારનું દુલ્હન શિવાલય:
બિહારનું આ દુલ્હન શિવાલય નાલંદા જિલ્લામાં બિરાજમાન છે. આ મંદિરના શિવલિંગનો રંગ પણ સૂર્યના પ્રકાશ અનુસાર બદલાતો રહે છે.