Char Dham Yatra: હિમવર્ષા વચ્ચે ચારધામ યાત્રા ફરી શરૂ, ગંગોત્રી-યમુનોત્રી સહિતના વિસ્તારોમાં ઠંડીમાં થયો વધારો
દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડે સોમવારે આ માહિતી આપી. ગંગોત્રી અને યમુનોત્રી ધામના ઊંચા શિખરો પર હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. ઉત્તરકાશી જિલ્લાના બંને સ્થળો સહિત નીચાણવાળા વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો છે.
ઉત્તરાખંડમાં બરફવર્ષા વચ્ચે ચાર ધામ યાત્રા 2021 (Char Dham Yatra 2021) ચાલુ છે. દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડે સોમવારે આ માહિતી આપી. ગંગોત્રી અને યમુનોત્રી ધામના ઊંચા શિખરો પર હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. ઉત્તરકાશી જિલ્લાના બંને સ્થળો સહિત નીચાણવાળા વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો છે.
અહીંના રસ્તાઓ અને હેલિપેડ બરફથી ઢંકાઈ ગયા છે અને કેદારનાથ મંદિર પાસે સફાઈનું કામ ચાલી રહ્યું છે. કેદારનાથમાં હેલિકોપ્ટર સેવા પ્રભાવિત થઈ છે અને હેલિપેડ પરથી બરફ સાફ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન, બદ્રીનાથ યાત્રાનો રસ્તો સરળ છે. પોલીસ, મેડિકલ-હેલ્થ, ટ્રાન્સપોર્ટ, ટૂરિઝમ, મ્યુનિસિપલ કોર્પોરેશન, દેવસ્થાનમ બોર્ડ અને ટ્રાવેલ એડમિનિસ્ટ્રેશન ઓર્ગેનાઈઝેશન જેવા વિવિધ વિભાગોના હેલ્પ ડેસ્ક ઋષિકેશમાં મુસાફરોને મદદ કરી રહ્યા છે.
ગયા અઠવાડિયે, ઉત્તરાખંડ સરકારે મુશળધાર વરસાદ વચ્ચે ચારધામ યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી હતી. ચારધામ યાત્રા આ વર્ષે 18 સપ્ટેમ્બરે શરૂ થઈ હતી. ચારધામ યાત્રા પરનો પ્રતિબંધ નૈનીતાલ હાઇકોર્ટે 16 સપ્ટેમ્બરે હટાવી લીધો હતો. આ સાથે, કોરોના નેગેટિવ રિપોર્ટ અને કોરોના વેક્સીનના બંને ડોઝ લેનારા લોકોને તીર્થયાત્રા માટે મંજૂરી આપવામાં આવી હતી. દર વર્ષે દેશ -વિદેશમાંથી લાખો પ્રવાસીઓ અને ભક્તો આ ચારધામ યાત્રા કરે છે.
ઉત્તરાખંડના ગંગાજળ સાથે દેશના બાર જ્યોતિર્લિંગની પૂજા કરવામાં આવશે ઉત્તરાખંડના ગંગાજળને માટીના વાસણમાં પેક કરીને 12 જ્યોતિર્લિંગ તેમજ દેશના અન્ય ધાર્મિક સ્થળોએ મોકલવામાં આવશે. પ્રાદેશિક સહકારી સંઘ (PCU) એ આ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 30 ઓક્ટોબરે દહેરાદૂનમાં ‘ગંગાજલ’ કાર્યક્રમ શરૂ કરશે. પીસીયુ ચેરમેન રામ મેહરોત્રાએ જણાવ્યું હતું કે, હાલમાં ગંગાજળના લગભગ બે લાખ પેકિંગ તૈયાર કરવામાં આવ્યા છે.
ઓર્ડર મળતાં જ ફરીથી ગંગાજળનું પેકિંગ કરવામાં આવશે. મેહરોત્રાએ કહ્યું કે હાલમાં 300 મિલી ગંગાજળનું પેકિંગ તૈયાર કરવામાં આવ્યું છે. તેની કિંમત 150 રૂપિયા રાખવામાં આવી છે. ભવિષ્યમાં જે માગ મળશે તે મુજબ પેકિંગ કરવામાં આવશે. મેહરોત્રાએ જણાવ્યું હતું કે ગંગાજળથી થતી આવક સહકારી ક્ષેત્રમાં ખર્ચવામાં આવશે.
આ પણ વાંચો : કાશ્મીરના યુવાનોને અમિત શાહનો સંદેશ, કહ્યું – તમારા હાથમાં પથ્થર આપનારાઓએ તમારું શું ભલું કર્યું ?
આ પણ વાંચો : Aryan Drug Case: NCB સમીર વાનખેડે સામેના આક્ષેપોની ખાતાકીય તપાસ કરશે, અચાનક દિલ્હીનું તેડુ