Chanakya Niti : આ 3 સંકેત નાણાકીય કટોકટીની નિશાની છે ! જો તમે નહીં સમજો તો થશે મુશ્કેલી
આચાર્ય ચાણક્ય એક મહાન રાજદ્વારી, રાજકારણી, અર્થશાસ્ત્રી તેમજ સામાજિક વિષયોના જાણકાર હતા. આજના સમયમાં પણ તેમની જ્ઞાનની વાતો સાચી સાબિત થાય છે.
શાસ્ત્રોમાં તમામ બાબતોને શુભ અને અશુભ ફળ સાથે જોડીને કહેવામાં આવી છે, જેથી વ્યક્તિએ તે વાતોનું ખાસ ધ્યાન રાખે અને કોઈ પણ અનિચ્છનીય ઘટનાથી પોતાનો બચાવી શકે. આચાર્ય ચાણક્યએ લોક કલ્યાણ વિશે પણ આવી ઘણી વાતો જણાવી છે, જે વ્યક્તિને આવનારી કટોકટી વિશે અગાઉથી ચેતવે છે. જો કોઈ વ્યક્તિ સમયસર તે સંકેતોને સમજે છે, તો તે પોતાની જાતને બધી સમસ્યાઓથી બચાવી શકે છે અને તે મુશ્કેલી કે સમસ્યાઓનો સામનો કરી શકે છે.
આચાર્ય ચાણક્ય એક મહાન રાજદ્વારી, રાજકારણી, અર્થશાસ્ત્રી તેમજ સામાજિક વિષયોના જાણકાર હતા. આજના સમયમાં પણ તેમની જ્ઞાનની વાતો સાચી સાબિત થાય છે. આ જ કારણ છે કે આજે પણ આચાર્યને લાઇફ મેનેજમેન્ટ કોચ તરીકે જોવામાં આવે છે અને લોકોને તેમની નીતિઓ અને નિવેદનોના ઉદાહરણો આપીને શીખવવામાં આવે છે. જો આચાર્યની વાતોને ગંભીરતાથી લેવામાં આવે અને તેનું પાલન કરવામાં આવે તો તમારા જીવનના તમામ પડકારોનો સરળતાથી સામનો કરી શકાય છે.
અહીં જાણો આચાર્ય ચાણક્યએ આપેલા સંકેતો જે આવનારા નાણાકીય સંકટ અંગે ચેતવણી આપે છે.
1. તુલસીના છોડને શાસ્ત્રોમાં પૂજનીય માનવામાં આવે છે અને તેને ઘરમાં રાખવાનું કહેવામાં આવ્યું છે. આચાર્યનું માનવું હતું કે જો ઘરમાં તુલસીનો છોડ હોય તો તેની ખાસ કાળજી રાખો અને તેને સુકાવા ન દો. તુલસીનો છોડ અચાનક સૂકાઈ જાય છે, તો તે શુભ સંકેત નથી. આમ થવાથી તે સુચવે છે કે આગામી સમયમાં નાણાકીય કટોકટી આવી શકે છે.
2. જો તમારા ઘરમાં વારંવાર કાચ તૂટી રહ્યો છે, તો સમજી લો કે તે કોઈ આવનારી મુશ્કેલીની નિશાની છે. આ પરિસ્થિતિમાં પરિવારે આવનારી કટોકટી માટે સજાગ રહેવું જોઈએ અને આર્થિક વ્યવસ્થા કરવી જોઈએ. વારંવાર કાચ તૂટવાને સારી નિશાની માનવામાં આવતી નથી. આ સિવાય તુટેલા કાચને તરત જ ઘરની બહાર ફેંકી દો, નહીંતર તે નકારાત્મકતા વધારે છે.
3. જે ઘરમાં વડીલોનું અપમાન થાય છે કે તેમનો અનાદર થાય છે તે તો ત્યાં નકારાત્મકતા રહે છે. આર્થિક મુશ્કેલીઓ આવે છે અને ઘરની સુખ -શાંતિ અદૃશ્ય થઈ જાય છે. તેથી જો તમારા ઘરમાં કોઈ સભ્ય જાણી જોઈને અથવા અજાણતા વડીલોનું અપમાન કરી રહ્યું હોય, તો તેમને સમજાવો. તેમનો આદર કરો અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે તેમના આશીર્વાદ મેળવો.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Garuda Purana : આ 5 પ્રકારના લોકો તમારા જીવનમાં સમસ્યાઓ જ ઉભી કરશે, તેનાથી દૂર રહો
આ પણ વાંચો : Krishna Janmashtami 2021: શ્રી કૃષ્ણના જે ચરણમાં સમાઈ ગયો છે આખો સંસાર, જાણો તેમનો મહિમા અને પૂજા કરવાનું ફળ