Chanakya Niti : ઘર બનાવવાનું કે ખરીદવાનું સ્થળ નક્કી કરતા પહેલા 5 બાબતો ધ્યાનમાં રાખો

આચાર્ય ચાણક્ય માનતા હતા કે જો કોઈ વ્યક્તિને સફળ થવું હોય તો પોતાનું ઘર બનાવવાની જગ્યા નક્કી કરતી વખતે કેટલીક બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. નહિંતર નિષ્ફતા સાથે ભવિષ્યમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

Chanakya Niti : ઘર બનાવવાનું કે ખરીદવાનું સ્થળ નક્કી કરતા પહેલા 5 બાબતો ધ્યાનમાં રાખો
Chanakya Niti
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 8:37 PM

દરેક વ્યક્તિ જીવનમાં સફળતા મેળવવા માંગે છે. દરેક વ્યક્તિ સારું અને આરામદાયક જીવન ઇચ્છે છે. પણ આ બધુ માત્ર વિચારીને ન થઈ શકે. આ માટે સાચી દિશામાં પગલા લેવા પણ ખૂબ જ જરૂરી છે. સફળતા માટે સાચી દિશામાં જેટલી મહેનત કરવી જરૂરી છે, તેટલું જ મહત્વનું છે જ્યાં તમે રહો છો.

આચાર્ય ચાણક્ય માનતા હતા કે જો કોઈ વ્યક્તિને સફળ થવું હોય તો પોતાનું ઘર બનાવવાની જગ્યા નક્કી કરતી વખતે કેટલીક બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. નહિંતર નિષ્ફતા સાથે ભવિષ્યમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આચાર્યએ જણાવેલી આ 5 બાબતો વિશે જાણો.

આચાર્ય ચાણક્ય કહે છે કે

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

यस्मिन देशे न सम्मानो न वृत्तिर्न च बांधव:, न च विद्यागमोऽप्यस्ति वासस्तत्र न कारयेत्.

આ શ્લોકનો અર્થ એ છે કે જ્યાં કોઈ સન્માન નથી, રોજગાર નથી, મિત્રો કે સંબંધીઓ નથી, શિક્ષણ નથી અને કોઈ સારા ગુણો નથી, એવી જગ્યાએ ક્યારેય ઘર ન બાંધવું જોઈએ. તે સ્થાન છોડવું વધુ સારું છે.

1. તમારે ક્યારેય એવી જગ્યાએ ન રહેવું જોઈએ જ્યાં તમારૂ માન-સન્માન નથી. કારણ કે આસપાસના લોકો પણ પછી એ પ્રકારે જ આચરણ કરે છે. તેઓ પણ તમારો આદર કરશે નહીં. આવી જગ્યાએ રહેવું અર્થહીન છે.

2. આચાર્ય માનતા હતા કે જો પ્રગતિ કરવી હોય તો સારી રોજગારી પણ જરૂરી છે. તેથી, નિવાસ સ્થાન ત્યા હોવું જોઈએ જ્યાં તમારા માટે રોજગારની તકો હોય. જો રોજગારીની તકો નથી, તો પછી ભલે તે સ્થળ ગમે તેટલું સુંદર હોય, તે તમારા માટે નકામું છે.

3. જીવનમાં ચોક્કસપણે એવો સમય આવે છે, જ્યારે તમને તમારા મિત્રો અને સંબંધીઓની જરૂર હોય છે. તેથી, તમારા મિત્રો અને સંબંધીઓ રહે છે તેની આસપાસ ઘર બનાવો. નહિંતર મુશ્કેલ સમય તમારા માટે વધારે મુશ્કેલ બની જશે.

4. શિક્ષણની સારી વ્યવસ્થા જોવી ખૂબ જ જરૂરી છે કારણ કે વ્યક્તિત્વ શિક્ષણ દ્વારા જ રચાય છે. તમારા બાળકોને સારું શિક્ષણ આપવું એ તમારી ફરજ છે. તેથી રહેવા માટે એવી જગ્યા પસંદ કરો જ્યાં તમારા બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય હોય.

5. જે સ્થળ પર તમને કંઈક નવું શીખવાની તક મળે, તે સ્થાન તમારા રહેવા માટે સારું છે. તેથી એવી જગ્યા પસંદ કરો જ્યાં તમને મહત્તમ શીખવા મળે.

નોંધ: અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Vastu Tips : વાસ્તુ દોષ દૂર કરવા માટે હનુમાનજીની તસવીર અથવા મૂર્તિ આ દિશામાં રાખો, ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ

આ પણ વાંચો : Garuda Purana: આ 5 પ્રકારના કાર્યો કરનારા વ્યક્તિને મળે છે અપયશ અને થાય છે તેનું અપમાન

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">