Shani Gochar 2022: 30 વર્ષ બાદ શનિદેવ કુંભ રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિના જાતકોને મળશે લાભ

શનિદેવ એ 9 ગ્રહોમાં 'ન્યાયના દેવતા' માનવમાં આવે છે. તેઓ વ્યક્તિને તેના કર્મોના આધારે ફળ આપે છે. જો વ્યક્તિ સારા કર્મો કરે તો શનિદેવ તેને આશિર્વાદ આપે છે અને જો વ્યક્તિ ખરાબ કર્મો કરે તો શનિદેવ તેના પર ક્રોધિત થઈ જાય છે.

Shani Gochar 2022: 30 વર્ષ બાદ શનિદેવ કુંભ રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિના જાતકોને મળશે લાભ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 10:57 PM

નવ ગ્રહોમાં ‘કળિયુગના મેજિસ્ટ્રેટ’ ગણતાં શનિદેવ (Planet Saturn) આગામી તા. 29 એપ્રિલે પોતાની રાશિ કુંભ રાશિમાં (Aquarius Zodiac Sign) સંક્રમણ કરવા જઈ રહ્યા છે. શનિનું સંક્રમણ થતાં જ આ બંને રાશિના જાતકોને ઢૈય્યામાંથી મુક્તિ મળશે અને તેમના સારા દિવસોની શરૂઆત થશે, તેવું જ્યોતિષ નિષ્ણાંતોનું કહેવું છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈ ગ્રહનો સંક્રમણ કે ઉદય થાય છે ત્યારે તેની સીધી અસર માનવ જીવન પર પણ પડે છે. જેમાં અમુક રાશિના જાતકો માટે આ પરિવર્તન શુભ છે તો અમુક રાશિના જાતકો માટે આ પરિવર્તન અશુભ ગણાય છે.

અમે તમને જણાવી દઈએ કે આ વર્ષ 2022માં ઘણા નાના-મોટા ગ્રહો સંક્રમણ કરવાના છે. આ યાદીમાં ‘દીર્ઘાયુ પ્રદાતા’ શનિદેવનું નામ પણ સામેલ છે. શનિદેવ આગામી તા. 29 એપ્રિલે પોતાની પ્રિય રાશિ કુંભ રાશિમાં સંક્રમણ કરશે. જ્યારે પણ શનિદેવ રાશિ બદલે છે, ત્યારે કેટલીક રાશિઓ પર ઢૈય્યાની અસર સમાપ્ત થાય છે, તો અન્ય પર તેની શરૂઆત થાય છે. તો ચાલો જાણીએ કે શનિદેવ ગોચર થતાની સાથે જ કઈ બે રાશિઓને શનિદેવની ઢૈય્યાથી મુક્તિ મળશે.

આ 2 રાશિના જાતકોને ઢૈય્યાથી મળશે મુક્તિ

પંચાંગ અનુસાર, આગામી તા. 29 એપ્રિલ 2022ના રોજ શનિ ગ્રહ પોતાની રાશિ બદલશે. આ સમય દરમિયાન શનિદેવ મકર રાશિથી કુંભ રાશિમાં સંક્રમણ કરશે. શનિદેવનો આ રાશિમાં પ્રવેશ થતાં જ મિથુન અને તુલા રાશિના જાતકોને શનિદેવની ઢૈય્યાથી મુક્તિ મળશે. ઉપરાંત, આ રાશિના જાતકોની પ્રગતિ નવા માર્ગો ખોલશે અને તેમની નાણાંકીય બાજુ પણ મજબૂત રહેશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ ઉપરાંત, આ બે રાશિના જાતકોને જૂના રોગોથી રાહત મળશે. આ સાથે તેમના અટકેલા કામ પણ થશે. તમારા વેપારમાં લાભ થશે. તમે નવી પ્રોપર્ટી ખરીદવાનું પણ વિચારી શકો છો. જો શનિદેવ ધન ભાવની કુંડળીમાં બિરાજમાન હોય તો તે લોકોને સારો લાભ મળી શકે છે.

શનિદેવની જોવા મળશે વક્રી ચાલ

બીજી તરફ શનિની આ દશા કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો પર શરૂ થશે. ઉપરાંત, આગામી તા. 5 જૂને, શનિ પૂર્વવર્તી થશે અને આગામી તા. 12 જુલાઈથી તેઑ તેની પાછલી રાશિ મકર રાશિમાં ફરી ગોચર કરશે. આ રાશિમાં શનિદેવનો ફરી પ્રવેશ થતાં જ મિથુન અને તુલા રાશિના લોકો ફરીથી શનિદેવની પકડમાં આવી જશે. આ સાથે જ કર્ક અને વૃશ્ચિક રાશિના લોકોને થોડા સમય માટે શનિની દશામાંથી મુક્તિ મળશે.

જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવનું મહત્વ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિદેવને તુલા રાશિમાં ઉચ્ચ માનવામાં આવે છે, તો મેષ રાશિને તેની કમજોર રાશિ કહેવામાં આવે છે. તે જ સમયે, 27 નક્ષત્રોમાં, તેમની પાસે પુષ્ય, અનુરાધા, પૂર્વાભાદ્રપદ નક્ષત્રો છે. આ ઉપરાંત, બુધ અને શુક્ર શનિ અને સૂર્યના મિત્ર છે, તો ચંદ્ર અને મંગળ શનિદેવના શત્રુ ગ્રહો માનવામાં આવે છે. શનિના આ સંક્રમણનો સમયગાળો લગભગ 30 મહિનાનો છે.

આ પણ વાંચો – Ketu Gochar 2022: 17 માર્ચથી શરૂ થશે કેતુનું ગોચર, આ રાશિઓમાં ચમકશે ભાગ્ય, ધનનો વરસાદ થશે

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">