એક દીવો વિવિધ સમસ્યાઓથી અપાવશે મુક્તિ ! જાણો કઈ સમસ્યા માટે ક્યાં પ્રગટાવવો જોઈએ ?

જો નોકરીમાં કોઈ લાભ મળી રહ્યો ન હોય અને પૈસાની તંગી રહેતી હોય તો માતા લક્ષ્મીજી (Goddess Lakshmi) ની સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરો. પૂજા દરમિયાન લાલ વાટનો ઘીનો દીવો પ્રગટાવો. સાથે જ દીવામાં થોડી હળદર, કંકુ અને ચોખા ઉમેરો.

એક દીવો વિવિધ સમસ્યાઓથી અપાવશે મુક્તિ ! જાણો કઈ સમસ્યા માટે ક્યાં પ્રગટાવવો જોઈએ ?
Diya
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jun 21, 2022 | 7:49 AM

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં (kundali) કોઈ ગ્રહ દોષ (graha dosha) હોય તો તે વ્યક્તિનો ભાગ્યોદય થતો નથી અને હંમેશા તેના જીવનમાં સમસ્યા રહેતી હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ ગ્રહ દોષને દૂર કરવાના ફળદાયી ઉપાય જણાવવામાં આવેલ છે. આ ઉપાયને નિયમિત રૂપથી કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને વ્યક્તિના દરેક દુઃખ દૂર થાય છે. એટલું જ નહીં, તેને પોતાના દરેક કાર્યમાં સફળતાની પણ પ્રાપ્તિ થાય છે. અલગ-અલગ વસ્તુઓના માધ્યમથી આ ઉપાયો અજમાવવામાં આવતા હોય છે. પણ, શું આપ એ જાણો છો કે માત્ર દીવાના માધ્યમથી પણ તમે વિવિધ પ્રકારના ગ્રહ દોષને શાંત કરી શકો છો ? લોકો પૂજાઘરમાં સવાર-સાંજ દીવો પ્રગટાવતા હોય છે. ઘરના આંગણામાં તુલસીને દીવો કરતા હોય છે. ત્યારે આવો આજે એ જાણીએ કે વિવિધ સ્થાન પર અને વિવિધ દ્રવ્યોના દીપ પ્રગટાવવાથી વ્યક્તિને કેવાં પુણ્યની થશે પ્રાપ્તિ ?

શત્રુ ભય મુક્તિ

શત્રુઓના ભયને દૂર કરવા માટે હનુમાનજી સામે સરસવનાં તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. આ દીવો લાલ દોરાની વાટથી પ્રગટાવવો જોઈએ અને હનુમાન ચાલીસાનાં પાઠ કરવા જોઈએ. એ જ રીતે ભૈરવની સન્મુખ સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી પણ શત્રુઓનો ભય દૂર થાય છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

સુખી દાંપત્ય

જો પતિ-પત્ની વચ્ચે તાલમેલનો અભાવ હોય અને વારંવાર વાદ-વિવાદ થઈ રહ્યા હોય તો ભગવાન શિવ-પાર્વતી અથવા વિષ્ણુ-લક્ષ્મી સામે ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. તેમજ દાંપત્ય જીવનની સમસ્યાઓને દૂર કરવા માટે પ્રાર્થના કરવી.

આર્થિક સમૃદ્ધિ

જો જીવનમાં મહેનત કરવા છતાં પણ પૈસાની પ્રાપ્તિ ન થઈ રહી હોય તો દરરોજ સાંજના સમયે દેવી લક્ષ્મીની સામે લાલ રંગના દોરાની વાટ બનાવીને દીવો પ્રગટાવવો જોઈએ. આ દીવાને પાણિયારે મુકી દેવો જોઈએ. ખાસ એ યાદ રાખવું કે આ દીવો માટીનો હોવો જોઈએ. દરરોજ સવાર-સાંજ ઘરના દરવાજા પર ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી પણ ઘરમાં ધનલાભની શક્યતા વધી જાય છે.

નોકરીમાં લાભ

જો નોકરીમાં કોઈ લાભ મળી રહ્યો ન હોય અને પૈસાની તંગી રહેતી હોય તો માતા લક્ષ્મીજીની સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરો. પૂજા દરમિયાન લાલ વાટનો ઘીનો દીવો પ્રગટાવો. સાથે જ દીવામાં થોડી હળદર, કંકુ અને ચોખા ઉમેરો.

બીમારીથી મુક્તિ

જો કોઈ વ્યક્તિ ઘરમાં બીમાર હોય અને દવાઓ પણ કામ કરી રહી ન હોય તો ઘરની બહાર દક્ષિણ દિશામાં સરસવના તેલનો દીવો પ્રગટાવો. સાથોસાથ ડોક્ટર દ્વારા આપવામાં આવેલી સુચનાનું પણ પાલન કરો.

શ્રીગણેશના શુભાશિષ

ભગવાન ગણેશનાં આશીર્વાદ મેળવવા માટે ચાર મુખી ગાયનાં ઘીનો દીવો પ્રગટાવવો. ચાર મુખ એટલે કે દીવો ચારેબાજુથી વાટ રાખીને પ્રગટાવવો જોઈએ.

સમસ્યા નિવારણ

વિવિધ સમસ્યાઓના નિવારણ અર્થે હનુમાનજી સન્મુખ ચમેલીના તેલનો દીવો પ્રગટાવવો અને હનુમાન ચાલીસાના પાઠ કરો. એ જ રીતે ભગવાન શિવની સામે ગાયના ઘીનો દીવો પ્રગટાવો. ।। ૐ નમઃ શિવાય ।। મંત્રનો ૧૦૮ વખત જાપ કરો. આ ઉપાય કરવાથી વ્યક્તિને તમામ સમસ્યાથી મુક્તિ મળતી હોવાની માન્યતા છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
g clip-path="url(#clip0_868_265)">