કોરોના કાળમાં ઘરે કેવી રીતે કરશો શ્રાદ્ધ ? જાણો પિતૃઓની શાંતિ માટે શ્રાદ્ધ પક્ષની મહત્વની તિથિઓ અને તર્પણ વિધિ

ધર્મગ્રથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તીર્થ સ્થળોએ જઈને શ્રાદ્ધ કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે. પરંતુ આ વર્ષે કોરોના કાળમાં લોકો પોતાના મૃત સ્વજનોની પિતૃ તર્પણ વિધિ કરવા તીર્થ સ્થાને જઈ શકવાના નથી. પણ ઘરે જ આ રીતે શ્રાદ્ધ કરવાથી અને દાન કરવાથી પણ પિતૃઓની આત્માને શાંતિ મળશે. આ વર્ષે 16 દિવસનો પૂર્ણ શ્રાદ્ધ […]

કોરોના કાળમાં ઘરે કેવી રીતે કરશો શ્રાદ્ધ ? જાણો પિતૃઓની શાંતિ માટે શ્રાદ્ધ પક્ષની મહત્વની તિથિઓ અને તર્પણ વિધિ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jan 16, 2021 | 4:04 PM

ધર્મગ્રથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તીર્થ સ્થળોએ જઈને શ્રાદ્ધ કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે. પરંતુ આ વર્ષે કોરોના કાળમાં લોકો પોતાના મૃત સ્વજનોની પિતૃ તર્પણ વિધિ કરવા તીર્થ સ્થાને જઈ શકવાના નથી. પણ ઘરે જ આ રીતે શ્રાદ્ધ કરવાથી અને દાન કરવાથી પણ પિતૃઓની આત્માને શાંતિ મળશે.

આ વર્ષે 16 દિવસનો પૂર્ણ શ્રાદ્ધ પક્ષ રહેશે. શાસ્ત્રો મુજબ આ સમયમાં કરવામાં આવેલ દાન પુણ્ય કર્મથી ઘરમાં શાંતિ, સુખ-સમૃદ્ધી જળવાઈ રહે છે. પિતૃઓને યાદ કરવાનો આ પક્ષ 17 સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે. આ દિવસોમાં પિતૃઓ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન વગેરે શુભ કાર્ય કરવામાં આવે છે. પિતૃપક્ષમાં કોઇ પવિત્ર નદીમાં કાળા તલ પ્રવાહિત કરીને તર્પણ કરવાની પરંપરા છે. પરંતુ, આ વર્ષે કોરોનાના કારણે કોઇ નદીમાં તર્પણ કરી શકો નહીં તો કોઇ મંદિરમાં અથવા કોઇ જરૂરિયાતમંદ લોકોને કાળા તલનું દાન કરવાથી પણ પુણ્ય ફળ મળે છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શ્રાદ્ધના દિવસે સાંજના સમયે પીપળાના મૂળને પાણી ચડાવવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે. આ દિવસે મજૂરોને વસ્ત્રોનું દાન પણ કરવામાં આવે છે. આ દિવસે ખીર પુરીનું ભોજન બ્રાહ્મણ, ગાય, કાગડા અને કુતરાઓને ખવડાવવાથી પિતૃઓને સંતોષ થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઘરે કેવી રીતે કરશો શ્રાદ્ધ ?

સૂર્યોદય પહેલા સ્નાન કરી લો. બપોરે 12 વાગ્યે શ્રાદ્ધ કરી શકાય છે. દક્ષિણ દિશામાં મોઢું રાખીને ડાબા પગને વાળીને ડાબા ઘૂંટણ પર બેસી જાઓ. તાંબાના વાસણમાં જવ, તલ, ચોખા, ગાયનું દૂધ, ગંગાજળ, સફેદ ફૂલ અને સૂકા ઘાસ રાખો. એ જળને હાથમાં લઇ અંગુઠાથી તે જ વાસણમાં 11 વાર અર્પણ કરી પિતૃઓનું ધ્યાન ધરો. પિતૃઓ માટે અગ્નિમાં ખીર અર્પણ કરો.

શ્રાદ્ધ પક્ષની મહત્વની તિથિઓ 2020

– 2 સપ્ટેમ્બર બુધવારે એકમનું શ્રાધ્ધ – 3 સપ્ટેમ્બર ગુરુવારે બીજનું શ્રાદ્ધ – 5 સપ્ટેમ્બર શનિવારે ત્રીજનું શ્રાદ્ધ – 6 સપ્ટેમ્બર રવિવારે ચોથનું શ્રાદ્ધ – 7 સપ્ટેમ્બર સોમવારે પાંચમનું શ્રાદ્ધ – 8 સપ્ટેમ્બર મંગળવારે છઠનું શ્રાદ્ધ – 9 સપ્ટેમ્બર બુધવારે સપ્તમીનું શ્રાદ્ધ – 10 સપ્ટેમ્બર ગુરુવારે આઠમનું શ્રાદ્ધ – 11 સપ્ટેમ્બર શુક્રવારે નવમીનું શ્રાદ્ધ (આ દિવસ પરિવારની મૃત્યુ પામેલી મહિલાઓના નામથી શ્રાદ્ધ કરવામાં આવે છે.) – 12 સપ્ટેમ્બર શનિવારે દશમનું શ્રાદ્ધ – 13 સપ્ટેમ્બર રવિવારે એકાદશીનું શ્રાદ્ધ (ઇંદિરા એકાદશી, આ દિવસે એકાદશીનું વ્રત કરીને પૂર્વજોને વ્રતનું પુણ્ય અર્પણ કરવાથી પિતૃઓને યમલોકમાંથી મુક્તિ મળે છે.) – 14 સપ્ટેમ્બર સોમવારે બારસ તિથિનું શ્રાદ્ધ (આ દિવસે સંન્યાસીનું શ્રાદ્ધ પણ કરવામાં આવે છે) – 15 સપ્ટેમ્બર મંગળવારે તેરસ તિથિનું શ્રાદ્ધ – 16 સપ્ટેમ્બર બુધવારે ચતુર્દશીનું શ્રાદ્ધ (આ દિવસે અકસ્માત, ઝેર, શસ્ત્રો અને કોઈપણ પ્રકારના અકુદરતી મૃત્યુ પામેલા લોકોનું શ્રાદ્ધ કરવાનું વિધાન છે.) – 17 સપ્ટેમ્બર ગુરુવારે અમાવસ્યાનું શ્રાદ્ધ છે (આ દિવસને સર્વપિતૃ શ્રાદ્ધ પણ કહેવામાં આવે છે. આ દિવસે અમાસની તિથિના દિવસે મૃત્યુ પામેલા લોકો ઉપરાંત, જેમની મૃત્યુની તિથિ નથી ખબર તેવા પિતૃઓ, જેમનું શ્રાદ્ધ કોઈ કારણસર શ્રાદ્ધ પક્ષમાં નથી કરવામાં આવ્યું. તેમનું શ્રાદ્ધ કર્મ પણ કરી શકાય છે.)

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ચતુર્દશી એટલેકે ચૌદશની તિથિના રોજ એવા લોકોનું જ શ્રાદ્ધ કરવું જેઓ અકુદરતી મૃત્યુ પામ્યા છે.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">