દેશની મોટી બેંકોએ ગ્રાહકોને આપી ચેતવણી : સલાહ માનો નહિ તો કાર્યવાહી માટે તૈયાર રહો, જાણો શું છે આખો મામલો
દેશની ઘણી મોટી ભારતીય બેન્કોએ તેમના ગ્રાહકોને સલાહ આપી છે કે બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સીમાં વેપાર ન કરવો.
દેશની ઘણી મોટી ભારતીય બેન્કોએ તેમના ગ્રાહકોને સલાહ આપી છે કે બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સીમાં વેપાર ન કરવો. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) અને ખાનગી ક્ષેત્રના સૌથી મોટી એચડીએફસી બેંકે તેમના ગ્રાહકોને ઇ-મેઇલ મોકલ્યા છે. કેટલાક ચોક્કસ ગ્રાહકોને મેઈલ મોકલવામાં આવ્યા છે જેમાં ક્રિપ્ટોકરન્સીથી સંબંધિત તેમના વ્યવહાર વિશે પૂછવામાં આવ્યું છે.સાથે તેઓને આવા વ્યવહાર ટાળવાની સલાહ આપવામાં આવી છે.
જો ચેતવણીને ધ્યાનમાં ન લેવામાં આવે તો બેંક કાર્ડ્સ રદ કરવામાં આવશે બેંકોએ ગ્રાહકોને ચેતવણી આપી છે કે જો તેઓ આ સલાહનું પાલન નહીં કરે તો તેમના કાર્ડ્સ રદ થઈ શકે છે. એચડીએફસી બેંકે ઈ-મેલમાં જણાવ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) ની માર્ગદર્શિકા હેઠળ વર્ચુઅલ કરન્સી સાથે સંકળાયેલા વ્યવહારોની મંજૂરી નથી. તે એપ્રિલ 2018 માં રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલા એક પરિપત્રનેટાંકવામાં આવ્યો છે. પરિપત્રમાં બેન્કોને આવા વ્યવહાર અંગે જાગ્રત રહેવાની સલાહ આપવામાં આવી છે. તે જ સમયે એવું પણ કહેવામાં આવ્યું હતું કે બેન્કોએ તેમના ગ્રાહકોના ખાતામાંથી આવા વ્યવહારોની દેખરેખ રાખવી જોઈએ.
એસબીઆઈએ ગ્રાહકોને ક્રિપ્ટોકરન્સી સાથે સંકળાયેલા જોખમો પ્રત્યે જાગૃત રહેવા જણાવ્યું છે. દેશની સૌથી મોટી સરકારી બેંકે ઇ-મેલમાં સીધી ચેતવણી આપી છે કે વર્ચુઅલ ચલણ પ્લેટફોર્મ પરના વ્યવહાર માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાથી તમારું ક્રેડિટ કાર્ડ રદ થઈ શકે છે. જો કે સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે રિઝર્વ બેંકની આ માર્ગદર્શિકાઓને ખોટી જાહેર કરી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, આરબીઆઈ એ સાબિત કરી શક્યું નથી કે ક્રિપ્ટોકરન્સીથી જોડાયેલી કંપનીઓનું સંચાલન નિયમનકારી કંપનીઓને નુકસાન પહોંચાડી શકે છે.