શું માનવતા આ હદે મરી પરવારી છે કે SBI એ ગ્રાહકોને આ ચેતવણી આપવી પડી
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ કરોડો ગ્રાહકો માટે એલર્ટ(Alert) જારી કર્યું છે.
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ કરોડો ગ્રાહકો માટે એલર્ટ(Alert) જારી કર્યું છે. SBIએ આ ચેતવણી દ્વારા ગ્રાહકોને કહ્યું છે કે છેતરપિંડી કરનારા લોકો જીવન બચાવવા અને અન્ય દવાઓની મદદના બહાને આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોરોનાકાળમાં કેટલીક દવાઓની ખુબ અછત ઉભી થઇ છે જે મેળવવા લોકો મોટી કિંમત ચૂકવવા પણ તૈયાર થઇ રહ્યા છે. બેંકે ગ્રાહકોને સલાહ આપી છે કે કોઈ પણ દવાઓ માટે પેમેન્ટ કે સહાય કરતા પહેલાં દાવાની પુષ્ટિ જરૂર કરવી જોઈએ. એસબીઆઈએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે.
ઉલ્લેખનીય છે કે કોરોના રોગચાળા દરમિયાન ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વધારો થતાં ઓનલાઇન ફ્રોડના કેસોમાં વધારો થયો છે. છેતરપિંડી કરનારા લોકોને ચૂનો ચોપડવા માટે નવી રીત અપનાવી રહ્યા છે. છેતરપિંડીના કારણે લોકો પોતાની પરસેવાની કમાણી ગુમાવી રહ્યા છે.
Please ensure to verify the authenticity of the beneficiary you are dealing with before making any payment. pic.twitter.com/ilFFyseglP
— State Bank of India (@TheOfficialSBI) April 23, 2021
બેંકો પણ છેતરપિંડી ટાળવા માટે ગ્રાહકોને સમયાંતરે ચેતવણી આપી રહી છે. આ જ ક્રમમાં SBIએ નવી ચેતવણી જારી કરી છે. SBIએ ટ્વિટમાં જણાવ્યું છે કે અમારા ધ્યાનમાં આવ્યું છે કે ભેજાબાજ લોકો બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવી દવાઓ પુરી પાડવાના વાયદા કરે છે.
બેંકે કહ્યું, અમે લોકોને આ દાવાઓની પુષ્ટિ કરવા અને યોગ્ય નિર્ણય લેવા સલાહ આપીશું. કૃપા કરીને ચુકવણી કરવા પહેલાં લાભાર્થીની સત્યતાની પુષ્ટિ કરવાની ખાતરી કરો.