હોમ લોનના EMI નથી ભરી શક્યા, શું તમારું ઘર છીનવાઈ જશે? જાણો શું છે નિયમ અને તમારા હક
કોરોના(Corona)ના કારણે લાખો લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી હતી, જેમના પગાર બાકી છે, જેમનો પગાર કાપવામાં આવ્યો હતો. કોઈક રીતે લોકો મેનેજ કરી રહ્યા હતા કે ફરી એકવાર કોરોના ફાટી નીકળતા ચિંતાતુર બન્યા છે.
કોરોના(Corona)ના કારણે લાખો લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી હતી, જેમના પગાર બાકી છે, જેમનો પગાર કાપવામાં આવ્યો હતો. કોઈક રીતે લોકો મેનેજ કરી રહ્યા હતા કે ફરી એકવાર કોરોના ફાટી નીકળતા ચિંતાતુર બન્યા છે. આવી સ્થિતિમાં ફરી નોકરી ગુમાવવા અને પગારમાં ઘટાડો થવાનું જોખમ વધી ગયું છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં જે લોકોએ હોમ લોન લીધી છે તેમને EMI લેવાનું મુશ્કેલ બની રહ્યું છે. હવે સવાલ એ ઉભો થાય છે કે જો તમે હોમ લોનની EMI ચૂકવવા માટે સમર્થ નથી, તો પછી શું થશે?
કોરોનાકાળમાં બેરોજગારી સૌથી મોટું સંકટ છે હોમ લોન લેનારા મોટાભાગના લોકો આવા લોકો છે જેમની આવકનો મોટો હિસ્સો દર મહિને EMI ના રૂપમાં જાય છે. આવી સ્થિતિમાં જો ઘરનો મુખ્ય કમાનાર વ્યક્તિ બેરોજગાર થઈ જાય, તો મુશ્કેલીઓ ગંભીરત સ્તરે વધે છે. જો તમારી સાથે પણ આવું થાય છે, તો પછી સમજો કે દર મહિને વ્યાજની માત્રા તમારા એકંદર બેલેન્સમાં ઉમેરવામાં આવે છે. આનાથી લોનની મુદત વધશે સાથે જ ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે છે. આવી સ્થિતિમાં, સૌ પ્રથમ તમારી બેંકનો સંપર્ક કરો અને તમારી પરિસ્થિતિ વિશે તેમને કહો. જો તમારું ક્રેડિટ સારું છે અને તમે સતત EMI ચૂકવ્યો છે તો બેંક તમને ચોક્કસપણે એક્સ્ટેંશન આપશે. બેંકને પણ તમારી હોમ લોનની અવધિ વધારવાનો અધિકાર છે, જે EMIને ઘટાડશે.
બેન્ક પેહલા નોટિસ ફટકારે છે જો તમે એક અથવા બે EMI ચૂકી જાઓ છો, તો બેંક તાત્કાલિક કાર્યવાહી કરશે નહીં. જો તમે સતત ત્રણ EMI ચૂકી જાઓ છો, તો બેંક તમને પહેલાં નોટિસ ફટકારે છે. જો લોન લેનારએ સતત છ મહિના સુધી EMI ચૂકવી નથી તો બેંક તમને છેલ્લી વાર માટે બે મહિનાનો ગ્રેસ પીરિયડ આપશે જેથી તમે ફરીથી EMI ભરી કરી શકો. આ બધા પ્રયત્નો પછી પણ જો EMI જમા કરતા નથી, તો બેંક નોન પરફોર્મિંગ એસેટ એટલે કે NPA જાહેર કરે છે. હવે, બેંક તમારી મિલકત જપ્ત કરી શકે છે અને હરાજીની પ્રક્રિયા સાથે આગળ વધી શકે છે.
લોન ભરપાઇ તમામ વિકલ્પની તક બાદજ નીલામી થાય છે SARFAESI એક્ટ 2002, બેન્કોને લોન લેનારાઓની મિલકતની હરાજી માટે સશક્ત બનાવે છે. આ દ્વારા બેંક તેના NPAનો ભાર ઘટાડે છે. આ માટે બેંકને કોઈપણ કોર્ટની મંજૂરીની જરૂર નથી પરંતુ બેંક પ્રથમ ખાતરી કરે છે કે EMI ફરીથી કોઈ રીતે શરૂ થાય છે તેનો પ્રયાસ કરે છે. જ્યારે બધા વિકલ્પો બંધ દેખાય ત્યારે બેંક કોઈપણ મિલકતની હરાજીની પ્રક્રિયા સાથે આગળ વધે છે.
હરાજી સુધીમાં મિલ્કત પરત મેળવી શકાય બેંક હરાજીની તારીખ જાહેર કરે ત્યાં સુધી લોન લેનારને તેમની સંપત્તિ પ્રાપ્ત કરવાની તક હોય છે. તેઓ બેંકને ચુકવણી કરીને આ હરાજીની પ્રક્રિયાને રોકી શકે છે. આ સિવાય બેંક દ્વારા હરાજીની પ્રક્રિયાની ઘોષણાને કારણે કેટલાક ચાર્જ પણ અલગથી ચૂકવવા પડશે.