Bank Fraud : ભેજાબાજોએ 11 વર્ષમાં 50 હજારથી વધુ મામલાઓમાં લોકોને ૨ લાખ કાર્ડથી વધુનો ચૂનો ચોપડયો!!!, SBI ગ્રાહકો માટે જારી કર્યું આ એલર્ટ
જો તમારું દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા -SBI માં ખાતું છે તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે.
જો તમારું દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા -SBI માં ખાતું છે તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. બેંકે તેના તમામ ગ્રાહકોને એલર્ટ જારી કર્યું છે. SBIએ તેના લાખો ગ્રાહકોને વ્યક્તિગત માહિતી અને કોઈપણ પ્રકારની એપ્લિકેશન ડાઉનલોડ કરવા વિશે ચેતવણી આપી છે. ટ્વિટર હેન્ડલ પર આ ચેતવણી આપવામાં આવી છે.
SBIએ કહ્યું છે કે બેંક એકાઉન્ટ નંબર, નેટ બેંકિંગ પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ નંબર, જન્મ તારીખ, CVV નંબર, ડેબિટ કાર્ડ નંબર, વ્યક્તિગત ઓળખની વિગતો વગેરે કોઈની સાથે શેર ન કરવા જોઈએ. ચેતવણી જારી કરતાં SBIએ ગ્રાહકોને કેટલાક સૂચનો પણ આપ્યા છે જેને તેઓએ અનુસરવા કહ્યું છે. આ સિવાય બેંકે અજાણતાં મેલમાં આવેલા કોઈ પણ એટેચમેન્ટ, એસએમએસ અને કોલ્સથી સાવધાન રહેવા કહ્યું છે.
We advise our customers to be alert of fraudsters and not to share any sensitive details online or download any app from an unknown source.#StaySafe #StaySecure #BeAlert #CyberSecurity #CyberSafety #SBIAapkeSaath pic.twitter.com/jAQec1nmiG
— State Bank of India (@TheOfficialSBI) May 14, 2021
બેંક સમયાંતરે ચેતવણીઓ જારી કરે છે દેશની સૌથી મોટી બેંક સમયાંતરે ગ્રાહકોની સલામતી માટે ચેતવણીઓ જારી કરતી રહે છે. SBIનો હેતુ ગ્રાહકોના નાણાંની સુરક્ષિત કરવાનો છે. બેંક તેના ટ્વિટર હેન્ડલ અને મેસેજ દ્વારા ગ્રાહકોને એલર્ટ મોકલતી રહે છે.
બેન્કિંગ ફ્રોડના કેસમાં સતત સામે આવી રહ્યા છે લોકડાઉન દરમિયાન બેન્કિંગ ફ્રોડના કેસોમાં વધારો થયો છે. RBIના એક રિપોર્ટ અનુસાર વર્ષ 2018-19માં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને કારણે 71,543 કરોડ રૂપિયાના બેંકિંગ ફ્રોડ થયા છે. આ સમયગાળા દરમિયાન બેંક ફ્રોડના 6800 થી વધુ કેસ નોંધાયા હતા. વર્ષ 2017-18માં બેંક છેતરપિંડીના 5916 કેસ નોંધાયા હતા જેમાં 41,167 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી હતી. છેલ્લા 11 નાણાકીય વર્ષોમાં, બેંકના છેતરપિંડીના કુલ 53,334 કેસ નોંધાયા છેજેમાં 2.05 લાખ કરોડની છેતરપિંડી થઇ છે.