અયોધ્યા મામલે આગામી સપ્તાહમાં આવશે ચૂકાદો, ગુજરાતમાં ચુસ્ત બંદોબસ્ત તો ઈન્ટરનેટ પર લાગી શકે છે પ્રતિબંધ

અયોધ્યા રામ મંદિરને લઈને સુપ્રીમ કોર્ટ આગામી અઠવાડિયમાં ચુકાદો સંભળાવી શકે છે.  દેશભરમાં સુરક્ષા એજન્સીઓ ખડેપગ છે તો ગુજરાતમાં પણ વહીવટી તંત્ર, પોલીસવિભાગ તથા વિવિધ સંગઠનોમાં બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં […]

અયોધ્યા મામલે આગામી સપ્તાહમાં આવશે ચૂકાદો, ગુજરાતમાં ચુસ્ત બંદોબસ્ત તો ઈન્ટરનેટ પર લાગી શકે છે પ્રતિબંધ
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Nov 05, 2019 | 10:26 AM

અયોધ્યા રામ મંદિરને લઈને સુપ્રીમ કોર્ટ આગામી અઠવાડિયમાં ચુકાદો સંભળાવી શકે છે.  દેશભરમાં સુરક્ષા એજન્સીઓ ખડેપગ છે તો ગુજરાતમાં પણ વહીવટી તંત્ર, પોલીસવિભાગ તથા વિવિધ સંગઠનોમાં બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આખરે અયોધ્યા રામ જન્મભૂમિ પર કોનો અધિકાર છે એ અંગે સુપ્રીમ કોર્ટ આગામી અઠવાડિયામાં ચુકાદો જાહેર કરી શકે છે. 18 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટની ખાસ બેંચ સમક્ષ તમામ પક્ષોએ દલીલ પૂર્ણ કરી હતી.  ચુકાદો 18 નવેમ્બર સુધી જાહેર કરવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યુ હતું. જો કે હાલમાં મળતી માહિતી પ્રમાણે કેસનો ચુકાદો 18 નવેમ્બર પહેલા પણ જાહેર થઈ શકે છે કારણ કે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા 17 નવેમ્બરે નિવૃત થઈ રહ્યા છે. ચીફ જસ્ટિસની અધ્યક્ષતામાં બનેલી ખંડપીઠ દ્વારા આ કેસની સુનાવણી થઈ છે ત્યારે ચુકાદો વહેલો આવે એવી શક્યતા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જો કે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો જાહેર કરે એ પહેલાં તમામ અરજદારોને આ સૂચના આપવા નોટિસ આપવામાં આવશે. હાલ સુપ્રીમ કોર્ટની ખાસ બેંચ દ્વારા ચુકાદો લખવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 60 વર્ષથી ચાલતા વિવાદ પર સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય આપવા જઈ રહી છે ત્યારે દેશભરમાં વિવિધ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવાઈ આવી છે. કાશી મથુરાથી લઈને ગુજરાત સહિત તમામ રાજ્યોમાં તંત્રને એલર્ટ કરવામાં આવ્યુ છે. ચુકાદાની જાહેરાત બાદ સામાજિક સૌહાર્દ અને કોમી એખાલસ કેવી રીતે જળવાઈ રહેશે એ અંગે પણ પ્રશાશન તથા સામાજિક સંગઠનો દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.

જો ગુજરાતની વાત કરવામાં આવે તો છેલ્લા 3 દિવસથી ભાજપ તથા RSS તેમજ VHPમાં બેઠકનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. RSSની તમામ સંસ્થાઓમાં પણ બેઠક શરૂ થઈ ગઈ છે. બેઠકના મુખ્ય મુદ્દામાં ચુકાદો જાહેર થયા બાદ સંગઠનના પ્રવક્તા તથા તમામ કાર્યકર્તાઓએ જાહેર પ્લેટફોર્મ પર શું વાત મૂકવી?  કેવી રીતે મુકવી તે અંગે સૂચનાઓ આપવામાં આવી રહી છે.  ક્યાય પણ કોઈ પણ રીતે સામાજિક ભાવનાઓ દુભાય નહીં તમામને પોતાના વાણી વર્તન પર સંયમ રાખવા સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે.

જો કે આ બેઠકો અંગે ખુલીને વાત કરવા માટે હાલમાં તમામ સંગઠનો ઈન્કાર કરી રહ્યા છે. પરંતુ ચુકાદો જે પણ આવે રાજ્યભરમાં સૌહાર્દના વાતાવરણ બની રહે એ માટે કવાયત હાથ ધરવામાં આવી છે. સરકાર અને વિવિધ સંગઠનો તથા સુરક્ષા એજન્સીઓ વચ્ચે પણ બંધ બારણે બેઠક થઇ રહી છે. ગુજરાત પોલીસની જો વાત કરવામાં આવે તો પોલીસ બેડાંમાં તમામ પોલીસ કર્મચારીઓથી માંડીને અધિકારીઓ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

છેલ્લા 2 દાયકાથી ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. રાજયના તમામ સ્થાનો પર પોલીસની ચાંપતી નજર છે. તમામ શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે કેટલાક લોકોના ફોન પણ સર્વેલન્સ પર મુકવામાં આવ્યા છે. હાલમાં તો ચુકાદો શું આવશે તેની પર કોઈ જ પ્રકારની ટિપ્પણી કરવી અયોગ્ય છે પરંતુ જો ચુકાદો રામ જન્મભૂમિની તરફેણમાં આવશે તો અમદાવાદ સહિત તમામ જગ્યા પર મંદિર ,મઠોને શણગારવામાં આવી શકે છે.  જગન્નાથ મંદિર તેમજ ભદ્રકાળી મંદિરમાં મહાઆરતી પણ કરવામાં આવશે તો  રીવરફ્રન્ટ પર પણ મહાઆરતીનું આયોજન કરવાની વિચારણા ચાલી રહી છે.

આ પ્રકારના કાર્યક્મોનું હાલમાં વિવિઘ ધાર્મિક સંગઠનો દ્વારા આયોજન કરવામાં આવી રહ્યુ છે, જો કે આ તમામ કાર્યક્રમોનો આધાર સુપ્રીમ કોર્ટના ચુકાદા અને કાયદો અને વ્યવસ્થા પર રહેલો છે. સાવચેતીના ભાગ રૂપે ચૂકાદાને દિવસે કોઈ પણ ખોટા મેસેજ વાયરલ ન થાય તેમજ સામાજિક સૌહાર્દ જળવાઇ રહે તે માટે પોલીસ કલમ 144 લગાવી શકે છે તેમજ નેટ સેવા પણ ઠપ્પ થઇ શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">