નવી કાર-બાઇક ખરીદનારાઓ માટે સારા સમાચાર, 1 એપ્રિલથી રી-કોલ સિસ્ટમ લાગુ થશે, જાણો શું મળશે લાભ ?
નવા કાર-મોટરસાઇકલ ખરીદદારો માટે સારા સમાચાર છે. જો તેમના કારના કમ્પોનેન્ટમાં કોઈ ઉત્પાદન સંબંધી ખામી હોય તો સરકારના કોલ પોર્ટલ પર ફરિયાદ કરી શકાય છે. ઉત્પાદક તેને કોઈપણ ચાર્જ વિના સુધારશે અથવા નિયમ મુજબ ગ્રાહકને નવી કાર આપવામાં આવશે.
નવા કાર-મોટરસાઇકલ ખરીદદારો માટે સારા સમાચાર છે. જો તેમના કારના કમ્પોનેન્ટમાં કોઈ ઉત્પાદન સંબંધી ખામી હોય તો સરકારના કોલ પોર્ટલ પર ફરિયાદ કરી શકાય છે. ઉત્પાદક તેને કોઈપણ ચાર્જ વિના સુધારશે અથવા નિયમ મુજબ ગ્રાહકને નવી કાર આપવામાં આવશે. આ માટે, ગ્રાહકોએ ડીલર-વર્કશોપના ધક્કા ખાવા પડશે નહિ. આમાં યાંત્રિક-વિદ્યુત, પાર્ટ્સ , કમ્પોનેન્ટ વગેરે શામેલ છે. સાત વર્ષ જૂની કારો પર પણ આ સુવિધા મળશે. નવા નિયમો 1 એપ્રિલ, 2021 થી અમલમાં આવશે.
માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે ગત સપ્તાહે આ સંદર્ભમાં એક જાહેરનામું બહાર પાડ્યું છે. તે મુજબ 1 એપ્રિલથી દેશમાં ખામીયુક્ત વાહનોને પાછો ખેંચવા અથવા તેને રીપેર કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. વાહનમાં કયા પ્રકારની ભૂલ છે તેના પર નિર્ભર રહેશે. ઉપભોક્તાએ નવા વાહન અથવા સમારકામ માટે કોઈ ફી ચૂકવવી પડશે નહીં. ગ્રાહકોની સુવિધા માટે માર્ગ પરિવહન મંત્રાલય વેહિકલ રિકોલ નામનું પોર્ટલ શરૂ કરવા જઈ રહ્યું છે. આમાં, ગ્રાહકો તેમની ફરિયાદો કરી શકશે.
મંત્રાલય ફરિયાદ પર કાર્યવાહીની ખાતરી કરવા માટે તપાસ અધિકારીની નિમણૂક કરાશે. ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર ખાનગી અને કોમર્શિયલ વાહનો માટે વેહિકલ રિકોલ નિયમ લાગુ થશે. આમાં, વાહન ઉત્પાદક ભાન કરી શકશે નહીં કે તે પાર્ટ બીજી કંપનીનો છે કે અમારું તેમાં કોઈ દોષ નથી. કંપની દ્વારા તમામ પ્રકારની ભૂલો સુધારવિ પડશે અથવા નવું વાહન આપવું પડશે. નવા નિયમના બીજા ભાગમાં વાહનમાં ક્ષતિ હોય તો કંપનીએ સંપૂર્ણ માલ પાછા લેવા પડશે. ઉત્પાદન સમયે અથવા એસેમ્બલ કરતી વખતે ભૂલ નહિ પકડવા અને વેચવાના અવેજમાં કંપની પર 10 લાખથી 100 લાખ સુધીની દંડ નક્કી કરવામાં આવ્યો છે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વાહન રીકોલ-સિસ્ટમ લાગુ કરવાની જાહેરાત કરી હતી પરંતુ ઓટોમેકર્સના દબાણને કારણે મોડું થયું હતું. નવી સિસ્ટમ રિકોલ નોટિસ પ્રાપ્ત થતાં કંપનીઓ માત્ર હાઇકોર્ટમાં જઈ શકે છે. તેને લાગુ કરવાની સંપૂર્ણ જવાબદારી ગડકરીના મંત્રાલયના શિરે રહેશે.